Sushant Singh Rajputને મોતના 8 મહિના બાદ મળ્યું ખાસ સમ્માન, જાણીને ફેન્સ થઇ જશે ખુશ
બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતનો(Sushant Singh Rajput) 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરેથી મૃતદેહ મળ્યો હતો. અચાનક થયેલા મોતથી લોકોમાં શોક છવાઈ ગયો છે. સ સુશાંતસિંહ મોત મામલે સીબીઆઇ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધનના 8 મહિના બાદ ફેન્સ માટે ખુશખબરી આવી છે. દિવંગત એક્ટરને ખાસ સમ્માનથી નવજવામાં […]
બૉલીવુડ એકટર સુશાંત સિંહ રાજપૂતનો(Sushant Singh Rajput) 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરેથી મૃતદેહ મળ્યો હતો. અચાનક થયેલા મોતથી લોકોમાં શોક છવાઈ ગયો છે. સ સુશાંતસિંહ મોત મામલે સીબીઆઇ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂતના નિધનના 8 મહિના બાદ ફેન્સ માટે ખુશખબરી આવી છે. દિવંગત એક્ટરને ખાસ સમ્માનથી નવજવામાં આવ્યો છે.
દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021માં બેસ્ટ ક્રિટીક્સ એક્ટરથી સમ્માનિત કરવામાં આવ્યો છે. આ વાતની જાણકારી દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. સુશાંતસિંહ રાજપૂતની એક તસ્વીરને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઓફિશીયલ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ સાથે જ જણાવ્યું છે કે, સુશાંતસિંહ રાજપૂતને બેસ્ટ ક્રિટીક્સ એક્ટર તરીકે સમ્માનિત કરવામાં આવ્યો છે.
તસવીર શેર કરતાં સુશાંત સિંહ રાજપૂત માટે એક ખાસ પોસ્ટ પણ લખવામાં આવી છે. દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ તેની પોસ્ટમાં લખ્યું છે, ‘આ સિદ્ધિના માર્ગ પર તમે બતાવેલા સમર્પણની ઉજવણી કરવામાં આવી છે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2021 માં શ્રેષ્ઠ ક્રિટિક્સ એક્ટરનો એવોર્ડ જીતવા માટે દિવંગત સુશાંત સિંહ રાજપૂતને અભિનંદન. અમે તમને યાદ કરીએ છીએ
સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂત માટે લખાયેલ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. દિવંગત એક્ટરના ફેન્સ પણ તેમની પોસ્ટને ખૂબ પસંદ કરે છે. આ સાથે જ કમેન્ટ કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતે 2008 માં નાના પડદાથી એક્ટિંગની શરૂઆત કરી હતી.
સુશાંતસિંહ ટીવી સિરિયલમાં તેની એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ બાદ 2013માં સુશાંતએ બોલીવુડમાં તેની કરિયરની શરૂઆત કરી હતી. તેની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી. સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ તેના નિધન બાદ રિલીઝ થઇ હતી.
View this post on Instagram