Sonu Sood હવે ફ્રાન્સથી મંગાવશે ઓક્સિજન પ્લાન્ટ્સ, ટૂંક સમયમાં આવી જશે ભારત
સોનુ સૂદે પહેલા ચીનની સહાયથી ભારત ઓક્સિજન કંસન્ટ્રેટર્સ મંગાવ્યા હતા અને હવે તેમણે દેશવાસીઓને મદદ માટે ફ્રાન્સથી ઓક્સિજન પ્લાન્ટ્સ પણ મંગાવ્યા છે,
આ કોરોના સમયગાળામાં (Corona Pandemic), ગયા વર્ષથી, જો કોઈ ખરેખર હીરો બનીને લોકોની સામે આવ્યા છે, તો તે બોલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) છે. હજારો લોકોની મદદ કરનાર સોનુ છેલ્લા વર્ષથી સતત લોકો માટે મસીહા બની રહ્યા છે.
કોરોનાની લહેરથી દેશમાં હોબાળો મચી ગયો છે, પરંતુ સોનુ સૂદ આ દરમિયાન પણ લોકોની હિંમત બનાવી રાખી છે. ઓક્સિજન (Oxygen) થી પીડિત લોકો માટે, તેઓએ પહેલા ચીનની મદદ માંગી હતી અને હવે તેઓએ ફ્રાન્સથી ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા છે, જે ટૂંક સમયમાં ભારત આવી રહ્યા છે.
સોનુ સૂદ (Sonu Sood) નથી ઈચ્છતા કે કોરોનાની ત્રીજી લહેર આ બીજી લહેર કરતા વધારે ભયંકર બને. તેથી, હાલની પરિસ્થિતિઓને વહેલી તકે શક્ય તેટલા ઠીક કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. સોનુ સૂદે પહેલા ચીનની સહાયથી ભારત ઓક્સિજન કંસન્ટ્રેટર્સ (Oxygen concentrators) મંગાવ્યા હતા અને હવે તેમણે દેશવાસીઓને મદદ માટે ફ્રાન્સથી ઓક્સિજન પ્લાન્ટ્સ પણ મંગાવ્યા છે, જે 10-12 દિવસમાં ભારત પહોંચશે.
પ્લાન્ટ માટે ઓર્ડર અપાઈ ચુક્યો છે અને તે 10-12 દિવસની અંદર ફ્રાન્સથી ભારત પણ આવી જશે. સોશિયલ મીડિયા પર, સોનુના આ ઉમદા પગલા બદલ લોકો તેમનો આભાર માને છે.
ગયા વર્ષે તેમણે જેવી રીતે પ્રવાસી મજૂરોને તેમના સ્થળોએ પહોંચવામાં જે રીતે મદદ કરી હતી, આ વખતે તેમણે જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન પહોંચાડવાની જવાબદારી લીધી છે અને તેને જવાબદારીપૂર્વક પૂર્ણ પણ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન સોનુએ કહ્યું હતું કે તે ચીન, ફ્રાંસ અને તાઇવાનની કંપનીઓ સાથે ભારતમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે કામ કરી રહ્યા છે, જેથી જો કોરોનાની ત્રીજી લહેર આવે, તો આપણે પહેલેથી જ તૈયાર રહેવા માટે સક્ષમ હશું. સોનુએ કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરનારી કંપનીઓ સાથે વાત કરશે અને ટૂંક સમયમાં તેમને તેનું સેટઅપ પણ મળી જશે, જેનાથી દેશના ઘણા રાજ્યો જેવા કે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઓક્સિજન પ્લાન્ટની ઉપલબ્ધતા થશે.
આ પણ વાંચો :- Florence Nightingale: જેમણે નર્સ અને સૈનિક હોવાને આદરણીય વ્યવસાયનો દરજ્જો આપ્યો
આ પણ વાંચો :- ક્યારેક આકાશવાણીમાં કામ કરતી હતી બબીતાજી, જેઠાલાલના કહેવા પર મળ્યું હતું Taarak Mehta Ka Ooltah Chashmah માં કામ