SYL Song Removed : YouTubeએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું ગીત ‘SYL’ હટાવી દીધું, તેમની હત્યા બાદ રિલીઝ કરવામાં આવ્યું હતુ

સિદ્ધુ મૂઝવાલા (Sidhu Moose Wala)નું ગીત 'SYL' હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતુ ત્યારબાદ તે ખુબ જ વિવાદમાં આવ્યું હતુ હવે આ ગીત પર એક્શન લેવામાં આવી છે તેને યૂટ્યુબ પરથી દુર કરવામાં આવ્યું છે

SYL Song Removed : YouTubeએ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાનું ગીત 'SYL' હટાવી દીધું, તેમની હત્યા બાદ રિલીઝ કરવામાં આવ્યું હતુ
YouTubeએ પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાનું ગીત 'SYL' હટાવી દીધુંImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 11:31 AM

SYL Song Removed : સિદ્ધુ મૂસેવાલાનું (Sidhu Moose Wala)નું એક ગીત હાલમાં રિલીઝ થયું હતુ, તેને યૂટ્યુબ પરથી દુર કરવામાં આવ્યું છે.આ ગીત મૂસેવાલના મોત બાદ તેમના પરિવારે રિલીઝ કર્યું હતુ, આ ગીતને લઈ ખુબ વિવાદ પર થઈ રહ્યો હતો.SYLનો મતલબ સતલુજા યમુના લિંક નહર છે જેમાં SYL Canalના નામે પણ જણાય છે. આ મુદ્દો પંજાબ અને હરિયાણા વચ્ચે ત્રણ દાયકાથી વધુ સમયથી વિવાદનો વિષય છે. આ ગીત સિદ્ધુ મૂસેવાલાએ લખ્યું અને કમ્પોઝ કર્યું હતું. તમને જણાવી દઈએ કે 23 જૂન શુક્રવારના રોજ આ ગીતને મ્યુઝિક પ્રોડ્યુસર MXRCI દ્વારા YouTube પર રિલીઝ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ ગીતને 27 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે અને આ સિવાય તેને અત્યાર સુધીમાં 33 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે.

યૂટ્યુબ પરથી દુર કરાયું SYL ગીત

જો તમે યૂટ્યુબમાં આ ગીત સર્ચ કરશો તો આ ગીત જોવા મળશે નહિ, આ ગીતને જગ્યાએ એક મેસેજ જોવા મળશે. જેમાં લખ્યું કે, સરકારની કાનુની ફરિયાદને લઈ આ કન્ટેન હવે આ દેશના ડોમન પર હાજર નથી. સીધો અર્થ એ છે કે, આ ગીતને ભારત બહારના દેશોમાં લોકો જોઈ શકશે.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

તમારી જાણકારી માટે આપને જણાવી એ કે, મૂસેવાલાનું આ ગીતમાં કેટલાક ઉગ્રવાદિયોનો ફોટો જોવા મળે છે, જેમાં બલવિંદર સિંહ જટાના પણ સામેલ છે. બલવિંદર સિંહ જટાનાને ખાલિસ્તાન સમર્થક બબ્બર ખાલસા મેમ્બર કહેવામાં આવે છે. તેણે 23 જૂલાઈ 1990 ચંદીગઢ સ્થિત એસવાઈએલની ઓફિલમાં જઈ ચીફ એન્જિનયર એમએલ સીકર અને સુપ્રીટેન્ડેટ એએસ ઔલખની હત્યા કરી હતી.

હરિયાણાના કલાકારોએ નારાજગી વ્યક્ત કરી હતી

આ ગીતની શરૂઆતમાં જ આમ આદમી પાર્ટીના હરિયાણા પ્રભારી સુશીલ ગુપ્તાનું નિવેદન ચાલતું બતાવવામાં આવ્યું છે, જેમાં તેઓ વર્ષ 2024માં ચૂંટણી જીત્યા બાદ હરિયાણાને SYLનું પાણી આપવાની વાત કરી રહ્યા છે. તેમણે આ ગીતમાં શીખ સમાજના પ્રતીક નિશાન સાહિબને લાલ કિલ્લા પર ફરકાવવા બદલ પણ પ્રશંસા કરી છે.તેમના આ ગીત પર હરિયાણાના કલાકારોએ નારાજગી વ્યક્ત કરી હતી. હરિયાણાના જાણીતા ગાયક કેડીએ કહ્યું હતું કે, સિદ્ધુ મૂસેવાલાના પરિવારના સભ્યો અને તેમની ટીમે આ ગીત રિલીઝ ન કરવું જોઈતું હતું. આવા ગીતો બંને રાજ્યોની ભાવનાને બગાડે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">