બાહુબલીના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRનું ટીઝર સોમવારે થશે રિલિઝ, ફિલ્મ આ તારીખે થશે રિલિઝ

આઝાદી પૂર્વેના ભારત પર આધારીત આ ફિલ્મ પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની, કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામરાજુના યુવા દિવસો પરની કાલ્પનિક વાર્તા છે, જે અનુક્રમે જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા ચિત્રિત કરવામાં આવી છે.

બાહુબલીના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRનું ટીઝર સોમવારે થશે રિલિઝ,  ફિલ્મ આ તારીખે થશે રિલિઝ
RRR
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 10:22 PM

બાહુબલી ફેમ ડાયરેક્ટર એસએસ રાજામૌલી (S. S. Rajamouli)ની ફિલ્મ RRRનું ટીઝર આવતીકાલે એટલે કે 1 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ માટે મેકર્સે ખાસ તૈયારીઓ કરી છે. બાહુબલી (Baahubali)ની સફળતા બાદ ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે કારણ કે લોકો માની રહ્યા છે કે આ ફિલ્મમાં તેમને બાહુબલી કરતા વધુ એક્શન જોવા મળશે. દેખીતી રીતે જો રાજામૌલી તેમની આગામી ફિલ્મ બનાવશે તો તે બાહુબલી કરતાં વધુ સારી ફિલ્મ સાથે દર્શકો સમક્ષ જશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પીઢ ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ “RRR” બહુપ્રતીક્ષિત એક્શન ડ્રામા છે, જેમાં રામ ચરણ (Ram Charan ), એન. ટી. રામા રાવ જુનિયર (N. T. Rama Rao Jr) , અજય દેવગણ (Ajay Devgn) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) મુખ્ય ભૂમિકામાં છે અને તે 7 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. નિર્માતાઓએ 1 નવેમ્બર, 2021ના ​​રોજ આ વિશાળ બ્રહ્માંડની એક નાની ઝલક રજૂ કરવાનું નક્કી કર્યું છે.

બાહુબલી પછી પહેલી ફિલ્મ

આ ઉમદા ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ બાહુબલી પછી ફરી એકવાર ડાયરેક્ટરની ખુરશી પર બેઠેલા છે. ‘RRR’ 2022ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવતીકાલે, વિશ્વ સિનેમાના ઈતિહાસમાં સૌપ્રથમવાર સૌથી મોટી મલ્ટીપ્લેક્સ ચેઈન ઓપરેટર – PVRએ તેની બ્રાન્ડ ઓળખ અને લોગોને બદલીને ફિલ્મ ‘RRR’નું નામ આપવાનું નક્કી કર્યું છે, જે હવે ‘PVRRR’ તરીકે ઓળખાશે.

ભારતની આઝાદીની વાર્તા

આઝાદી પૂર્વે ભારત પર આધારીત આ ફિલ્મ પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની, કોમારામ ભીમ (Komaram Bheem) અને અલ્લુરી સીતારામરાજુ (Alluri Sitarama Raju)ના યુવા દિવસો પરની કાલ્પનિક વાર્તા છે, જે અનુક્રમે જુનિયર એનટીઆર અને રામ ચરણ દ્વારા ચિત્રિત છે. બધા દર્શકો જાણશે કે જ્યારે પાણી અગ્નિને મળે છે, ત્યારે શું થાય છે અને વાર્તા એ જ સળગતી જ્યોતની આસપાસ પ્રગટ થશે.

સ્ટારથી સજેલી છે ફિલ્મ

ભારતની સૌથી મોટી મલ્ટી સ્ટારર ફિલ્મમાં રામ ચરણ, NTR જુનિયર સાથે અજય દેવગણ અને આલિયા ભટ્ટ છે. આ પ્રોજેક્ટનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે, જેઓ રેકોર્ડબ્રેક બાહુબલી શ્રેણીના માસ્ટરમાઈન્ડ પણ હતા.

પેન સ્ટુડિયોએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ અધિકારો પ્રાપ્ત કર્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઈલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. પેન મરુધર ફિલ્મને નોર્થ ટેરિટરીમાં ડિસ્ટ્રીબ્યૂટ કરશે. ‘RRR’ 7 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરના સ્ક્રીન્સ પર રિલીઝ થશે.

આ પણ વાંચો :- Mira Rajput તેના ડ્રેસને લઈને સંઘર્ષ કરી રહી હતી અને શાહિદ કપૂરે છુપાઈને બનાવ્યો વીડિયો, જુઓ આ વીડિયો

આ પણ વાંચો :- અભિનેત્રી Urmila Matondkar થઈ કોરોના પોઝિટિવ, ઘરમાં આઈસોલેટ હોવાની જાણકારી ટ્વીટ કરી આપી

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">