Rhea Chakraborty: રિયા ચક્રવર્તીને IIFA માટે વિદેશ જવા માટે મળી કોર્ટની પરવાનગી, સુશાંત સિંહ રાજપૂતના ચાહકો થયા ગુસ્સે

રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) તેની આર્થિક સ્થિતિ અને વૃદ્ધ માતા-પિતાને ટાંકીને IIFA એવોર્ડમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી હતી.

Rhea Chakraborty: રિયા ચક્રવર્તીને IIFA માટે વિદેશ જવા માટે મળી કોર્ટની પરવાનગી, સુશાંત સિંહ રાજપૂતના ચાહકો થયા ગુસ્સે
Rhea Chakraborty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:16 PM

રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) અબુ ધાબીમાં આયોજિત આઈફા એવોર્ડ્સમાં (IIFA Awards) ભાગ લેવા માટે વિદેશ જવાની પરવાનગી માટે અરજી કરી હતી અને હવે તેની અરજી સ્વીકારીને તેને વિદેશ જવાની પરવાનગી મળી ગઈ છે. જો કે, રિયાને આ પરવાનગી મર્યાદિત સમયગાળા માટે એટલે કે મર્યાદિત દિવસો માટે આપવામાં આવી છે. રિયાને તેનો પાસપોર્ટ મળી ગયો છે. આ પરવાનગી સાથે રિયાએ કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જતા પહેલા તેને કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં તેનો શું કાર્યક્રમ હશે, તે ક્યારે પરત ફરશે, આ તમામ બાબતોની માહિતી આપવી પડશે. જોકે, તેમને આ પરવાનગી ત્રણ દિવસ માટે જ આપવામાં આવી છે.

માત્ર 3 દિવસનો સમય આપવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, NDPS કોર્ટે રિયાને 2 જૂનથી 5 જૂન સુધી જ વિદેશ જવાની મંજૂરી આપી છે. જો કે, ત્યાં ગયા પછી પણ, તેઓએ દરરોજ ભારતીય દૂતાવાસને જાણ કરવી પડશે અને જતા પહેલા 1 લાખ રૂપિયા રોકડમાં જમા કરાવવા પડશે. વિદેશ જવાની પરવાનગી માટે રિયાએ કરેલી અરજીમાં તેણે NDPSના કેસને કારણે થયેલા નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો છે. આ અરજીમાં લખવામાં આવ્યું છે કે, હાલમાં, રિયા સામે ચાલી રહેલા ફોજદારી કાર્યવાહી અને આસપાસના સંજોગોને કારણે તેની અભિનય કારકિર્દી પર ખરાબ અસર પડી રહી છે. તેની કારકિર્દીની સાથે તે આર્થિક રીતે પણ ખરાબ રીતે પીડાઈ રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જાણો રિયાનું શું કહેવું છે

અરજીમાં રિયા વતી આગળ લખવામાં આવ્યું છે કે આઈફા જેવી ઉજવણીથી તેને મનોરંજન જગતના એવા લોકોનો સંપર્ક કરવાની તક મળે છે, જે તેને આગળ કામ કરવાની તક આપી શકે છે અને તેથી આ સમારોહ તેના માટે મહત્વપૂર્ણ છે. અરજદાર (રિયા)ના વૃદ્ધ માતા-પિતા પણ આર્થિક રીતે તેના પર નિર્ભર છે. રિયા ઘણા વર્ષોથી મુંબઈમાં રહે છે અને તેનો પરિવાર અહીં રહે છે. તે આ સમાજનો મહત્વનો હિસ્સો બની ગઈ છે અને તેથી ન્યાય પ્રણાલીથી તેના ફરાર થવાનો કોઈ પ્રશ્ન જ નથી.

અહીં સુશાંતના ચાહકોની ટ્વીટ્સ જુઓ

સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ વ્યક્ત કરી નારાજગી

જોકે, સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી. કેટલાક લોકોએ ટ્વિટર પર “Boycott IIFA” પણ ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા તેના બોયફ્રેન્ડ સ્વર્ગસ્થ સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. એક મહિના પછી, અભિનેત્રીને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">