Alia Bhatt સાથે શાનદાર રીતે રણબીરે ઉજવ્યો જન્મદિવસ, સોશિયલ મીડિયા પર છવાયો આ વીડિયો
ફિલ્મ અભિનેતા રણબીર કપૂરે મંગળવારે પોતાનો 39મો જન્મદિવસ પાલી જિલ્લાના જવાઈ ડેમ વિસ્તારમાં આવેલા એક ખાનગી રિસોર્ટમાં ઉજવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની જોધપુરમાં ઉમ્મેદ ભવનમાં મુલાકાતના કાર્યક્રમના કારણે સુરક્ષાના કારણોસર જન્મદિવસની પાર્ટી જવાઈ વિસ્તારમાં એક ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવી હતી.
બોલિવૂડની પ્રખ્યાત જોડી રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) મારવાડ-ગોડવાડ વિસ્તારના જવાઈમાં વેકેશન મનાવી રહ્યા છે. સોમવારે જોધપુર પહોંચ્યા બાદ બંને સીધા પાલી જિલ્લાના જવાઈ લેપર્ડ સંરક્ષણ વિસ્તારમાં પહોંચ્યા. બંને છેલ્લા ત્રણ દિવસથી અહીં છે.
રણબીરનો જન્મદિવસ મંગળવારે (28 સપ્ટેમ્બર) હતો. જવાઈના એક રિસોર્ટમાં સાંજે સેલિબ્રેશન પાર્ટી પણ રાખવામાં આવી હતી. અગાઉ, બંને સફારી પર ગયા હતા અને જવાઈ ડેમના કિનારે ફોટા ક્લિક કર્યા હતા. આ બંનેના ફોટા શેર કરતી વખતે આલિયાએ લખ્યું – હેપી બર્થ ડે માય લાઈફ.
રણબીર આલિયાએ વિતાવી ખાસ ક્ષણો
જવાઈ ડેમના કિનારે સૂર્યાસ્ત સાથે આ ફોટો ક્લિક કરવામાં આવ્યા હતા. આ ફોટો શેર કરતી વખતે આલિયાએ રણવીરને શુભેચ્છા પાઠવી હતી. બંનેએ પશ્ચિમ રાજસ્થાનના સૌથી મોટા ડેમ વિસ્તારમાં જંગલ સફારીની મજા માણી તેમજ લેપર્ડ કંજવેશન એરિયામાં કરી જંગલ સફારી.
આ જગ્યા પર દેશના ઘણા મહાન વ્યક્તિઓ સચિન તેંડુલકર, કપિલ દેવ, રણવીર સિંહ, દીપિકા, અનિલ કપૂર આવી ચુક્યા છે. રણવીર અને આલિયા સોમવારે સાંજે 4.30 વાગ્યે જોધપુર પહોંચ્યા હતા. અહીંથી તેઓ સીધા જવાઈ ડેમ સ્થિત જવાઈ રિસોર્ટ પહોંચ્યા. આ વિસ્તારમાં ઘણા દીપડાઓ છે. બંનેએ જવાઈ લેપર્ડ વિસ્તારમાં સફારી કરી.
જવાઈથી જશે જોધપુર
સફારી બાદ રણવીર-આલિયા રોડ માર્ગે જોધપુર પરત ફરશે. અહીં આવ્યા બાદ તેમની મેહરાનગઢ ફોર્ટ અને ઉમ્મેદ ભવનની મુલાકાત લેવાની યોજના છે. આલિયાની માતા સોની રાઝદાને પણ રણબીર કપૂરનો ફોટો શેર કર્યો હતો અને તેમને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
View this post on Instagram
મારવાડમાં શોધી રહ્યા છે લગ્ન ડેસ્ટિનેશન
ચર્ચા છે કે આલિયા અને રણવીર અહીં લગ્નનું સ્થળ શોધવા માટે આવ્યા છે. મારવાડ પ્રદેશ લગ્ન સ્થળ માટે સેલિબ્રિટીઝને ખુબ આકર્ષિત કરી રહ્યો છે. ખાસ કરીને તેનો ગોડવાડ પ્રદેશ. આ લેપર્ડ જોવા માટેનું શ્રેષ્ઠ સ્થળ હોવા ઉપરાંત તે લગ્ન સ્થળ તરીકે પ્રથમ પસંદગી બની ગઈ છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની વાતો લાંબા સમયથી ચાલી રહી છે. આખરે બંને ક્યારે લગ્નના તાંતણે બંધાશે તેના પર ચાહકોની નજર સ્થિર છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયાએ હવે તેમના સંબંધો પર લગભગ મહોર લગાવી દીધી છે. એવું માનવામાં આવે છે કે બંને આ વર્ષે લગ્ન કરી લેશે.
આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના
આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત