Profit Sharing: સૂર્યવંશી માટે મલ્ટિપ્લેક્સ ચેઈન્સ-રિલાયન્સની મગજમારી, રિલીઝની તૈયારીઓ વચ્ચે ક્યારે ઉકેલાશે વિવાદ?

રિલાયન્સ આ તમામ ચેઈન્સમાંથી પ્રથમ સપ્તાહમાં 60 ટકા આવકની માંગ કરી રહી છે. રિલાયન્સનું માનવું છે કે તેઓએ સિનેમાને ટેકો આપવા માટે લાંબા સમયથી રાહ જોઈ છે. આવી સ્થિતિમાં તેમને સમર્થન મળવું જોઈએ પરંતુ આ ચેઈન્સ માત્ર 52.5 ટકા રકમ આપવા માટે રાજી છે.

Profit Sharing: સૂર્યવંશી માટે મલ્ટિપ્લેક્સ ચેઈન્સ-રિલાયન્સની મગજમારી, રિલીઝની તૈયારીઓ વચ્ચે ક્યારે ઉકેલાશે વિવાદ?
Sooryavanshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:52 PM

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi) રિલીઝ થવામાં માત્ર એક દિવસ બાકી છે. દર્શકોની લાંબી રાહ બાદ આ ફિલ્મ મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. લાંબા સમય બાદ દેશભરના સિનેમાઘરો ધમધમશે. આ ફિલ્મને લઈને મલ્ટિપ્લેક્સ નેશનલ ચેઈન PVR, INOX, Cinépolis અને ડિસ્ટ્રીબ્યુટર રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ વચ્ચે નફાની વહેંચણી અંગેનો મુદ્દો ઉકેલાયો નથી.

અહેવાલો અનુસાર રિલાયન્સ આ તમામ ચેઈન્સમાંથી પ્રથમ સપ્તાહમાં 60 ટકા આવકની માંગ કરી રહી છે. રિલાયન્સનું માનવું છે કે તેઓએ સિનેમાને ટેકો આપવા માટે લાંબા સમયથી રાહ જોઈ છે. આવી સ્થિતિમાં તેમને સમર્થન મળવું જોઈએ, પરંતુ આ ચેઈન્સ માત્ર 52.5 ટકા રકમ આપવા સંમત થયા છે. આવી સ્થિતિમાં રિલાયન્સે મોટો નિર્ણય લીધો છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ફિલ્મ ’83’માંથી રિલાયન્સ 60% આવક વસૂલ કરશે

સૂત્રોનું માનીએ તો આ વિવાદ બાદ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ કોઈપણ જોખમ વિના કામ કરવા માંગે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિલાયન્સ કબીર ખાનની સ્પોર્ટ્સ બાયોપિક ’83’ માટે 60 ટકા રેવન્યુ શેરની પણ માંગ કરી રહી છે.

ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી હોવાથી, રિલાયન્સે નક્કી કર્યું છે કે તેમને ડિસેમ્બરમાં ફરીથી પ્રદર્શકો સામે લડવાની કંટાળાજનક પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે, તેથી તેઓ નેશનલ ચેઈન્સને 60% રેવન્યુ શેરિંગ એગ્રીમેન્ટ પર અત્યારથી હસ્તાક્ષર કરવા કહે છે. પરંતુ સાંભળવામાં આવી રહ્યું છે કે આ તમામ ચેઈનોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.

ચાહકોને આ ફિલ્મથી છે ઘણી આશાઓ

વર્ષ 1983માં વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની વાર્તા પર આધારિત આ ફિલ્મ ગયા વર્ષથી જ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ મે 2020માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસના કારણે માર્ચ 2020માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ફિલ્મોની જેમ ’83’ની રિલીઝ પણ મોકૂફ રાખવામાં આવી હતી.

હવે આ ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ રિલીઝ થશે

આ ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh) ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં દીપિકા પદુકોણ (Deepika Padukone) કપિલ દેવની પત્નીની ભૂમિકા ભજવશે. લગ્ન પછી આ પહેલીવાર હશે, જ્યારે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ એકસાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. દર્શકોને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મ વર્ષ 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલી વર્લ્ડ કપ ટ્રોફીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ક્રિકેટ અને ગ્લેમર વચ્ચેનો સંબંધ પણ ઘણો જૂનો રહ્યો છે. આવી સ્થિતિમાં દેશનું નામ સમગ્ર વિશ્વમાં ઉંચું કરતી અમૂલ્ય ક્ષણોને ફિલ્મ દ્વારા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- અહાન શેટ્ટી – તારા સુતારિયાની ફિલ્મ તડપનું પહેલું ગીત Tumse Bhi Zyada રિલીઝ, અરિજીતના અવાજનો ચાલ્યો જાદુ

આ પણ વાંચો :- It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">