22 જાન્યુઆરીએ આ ગીત સાંભળી ઘરે કરો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી, ખુદ PM મોદીએ શેર કર્યું ગીત

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ જુબીન નૌટિયાલનું રામ ભજન 'મેરે ઘર રામ આયે હૈં' શેર કર્યું હતું. તેમણે ઝુબિન, મનોજ મુન્તાશીર અને પાયલ દેવની પણ પ્રશંસા કરી. મહત્વનું છે કે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણપ્રતિસ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોને ઘરે રહી pmએ ઉજવણી કરવા અપીલ કરી છે ત્યારે pm મોદીએ શેર કરેલું ગીત સાંભળી તમે ઘરે જ રામ મંદિરમાં હોવાનું વાતાવરણ બનાવી ઉજવણી કરી શકો છો. 

22 જાન્યુઆરીએ આ ગીત સાંભળી ઘરે કરો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી, ખુદ PM મોદીએ શેર કર્યું ગીત
| Updated on: Jan 05, 2024 | 4:49 PM

અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે. સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન હવે પીએમ મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X (ટ્વિટર) પર ભગવાન શ્રી રામનું એક મધુર ભજન શેર કર્યું છે. તેમણે ભજન ગાયક જુબીન નૌટિયાલ, લેખક મનોજ મુન્તાશીર અને સંગીતકાર પાયલ દેવની પણ પ્રશંસા કરી હતી.

ગીતને લઈ pm મોદીએ કહી આ વાત

‘મેરે ઘર રામ આયે હૈં’ ગીતને શેર કરતા પીએમ મોદીએ લખ્યું, ‘ભગવાન શ્રી રામના અભિષેકના અવસર પર અયોધ્યાની સાથે આખો દેશ રામની ઉજવણી કરી રહ્યો છે. રામલલાની ભક્તિથી ભરપૂર જુબીન નૌટિયાલ જી, પાયલ દેવ જી અને મનોજ મુન્તાશીર જીનું આ સ્વાગત ભજન હૃદય સ્પર્શી છે.

હંસરાજ રઘુવંશીના કર્યા વખાણ

આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યાના શ્રી રામ મંદિર પર આધારિત તેમના ભજન ‘જય શ્રી રામ’ માટે ગાયક હંસરાજ રઘુવંશીના વખાણ કર્યા હતા. પીએમ મોદીએ ગયા ગુરુવારે ટ્વિટર પર લખ્યું હતું કે, ‘અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી સમગ્ર દેશ ખુશ છે. રામ લાલાની ભક્તિમાં ડૂબેલા ભક્તો આ શુભ દિવસે વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. ભગવાન શ્રી રામને સમર્પિત હંસરાજ રઘુવંશીજીનું આ ભજન સાંભળો.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા

22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં મહાનુભાવો અને દરેક ક્ષેત્રના લોકો હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની સ્થાપનામાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં દરેક ક્ષેત્રના મહાનુભાવો અને લોકો હાજરી આપશે. શ્રી રામ જન્મભૂમિ તીરથ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામ લાલા બિરાજમાન થશે.

અયોધ્યા, ભગવાન રામનું જન્મસ્થળ, ભારતના લોકો માટે મહાન આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. ટ્રસ્ટે તમામ સંપ્રદાયોના 4000 સંતોને પણ આ કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા છે. અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહ માટેની વૈદિક વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે.

Published On - 4:48 pm, Fri, 5 January 24