Oscar Memorium Segment સુશાંત સિંહ રાજપૂત ના આવ્યો નજરે, બાદમાં ફેન્સ આ રીતે થયા ખુશખુશાલ

વિજેતાઓ સિવાય ઘણા દિવંગત એક્ટરોને પણ Oscar Memorium Segment દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરંતુ આ મેમોરિયમ સેગમેન્ટના વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અનેઋષિ કપૂર દેખાયા ન હતા.

Oscar Memorium Segment સુશાંત સિંહ રાજપૂત ના આવ્યો નજરે, બાદમાં ફેન્સ આ રીતે થયા ખુશખુશાલ
સુશાંતસિંહ રાજપૂત
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 27, 2021 | 12:18 PM

વિશ્વના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત એવોર્ડ શો તરીકે ઓળખાતા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સના 93માં વિજેતાઓનું લિસ્ટ સામે આવી ચૂક્યું છે. હોલીવુડના ડોલ્બી થિયેટરમાં દર વર્ષે આ એવોર્ડ ફંક્શન પરંપરાગત રીતે યોજવામાં આવે છે. પરંતુ આ વખતે એવોર્ડ ફંક્શન કોવિડ -19 રોગચાળાને કારણે ઓનલાઇન યોજાયો હતો. વિજેતાઓ સિવાય ઘણા દિવંગત એક્ટરોને પણ Oscar Memorium Segment દ્વારા પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરંતુ આ મેમોરિયમ સેગમેન્ટના વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અનેઋષિ કપૂર દેખાયા ન હતા. આ બંને સ્ટાર્સના ફેન્સને પસંદ આવી ના હતી અને સાથે ઘણા નિરાશ થઇ ગયા હતા.

મેમોરિયમ વીડિયોમાં સુશાંત સિંહ રાજપૂત અને ઋષિ કપૂરને ન જોતાં બંને દિવંગત એક્ટરોના ફેન્સનિરાશ થયા હતા. જોકે, એવોર્ડ શો પછી તરત જ સુશાંત સિંહ રાજપૂતના ભાઈ ઇન લો વિશાલ કીર્તિએ તેના ટ્વિટર એકાઉન્ટ પર ઓસ્કાર વેબસાઇટ ગેલેરીનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં સુશાંતને યાદ કરવામાં આવ્યો હતો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

ઓસ્કાર એવોર્ડ શો દરમિયાન માત્ર અભિનેતા ઇરફાન ખાન જ નહીં પરંતુ તેની સાથે ભારતીય ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ આટિયાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કલાકારો સોમવારે યોજાયેલા એવોર્ડ ઇવેન્ટના ઇન મેમોરિયમ સેગમેન્ટમાં દર્શાવવામાં આવ્યા હતા. ઇરફાન ખાને માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ હોલીવુડની ફિલ્મ ‘લાઇફ ઓફ પાય’, ‘જુરાસિક વર્લ્ડ’, ‘ઇન્ફર્નો’ જેવી બીજી ઘણી ફિલ્મો પણ કરી છે. તે જ સમયે, ભાનુને 1982 માં ‘ગાંધી’ માટેનો બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન એવોર્ડ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020 ના રોજ તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસના કહેવા મુજબ, સુશાંત નવેમ્બર 2019 થી ડિપ્રેસનમાં હતો અને મુંબઇ સ્થિત ડોક્ટર દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી હતી. તે જ સમયે, આ કેસમાં ઘણા જુદા જુદા એન્ગલ પર તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈથી લઈને ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) અને એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) સુધી દેશની ત્રણ મોટી તપાસ એજન્સીઓ આ કેસને હેન્ડલ કરી રહી છે.

સુશાંત સિંહ રાજપૂતના વર્કફ્રન્ટ વિશે વાત કરતાં તેમણે વર્ષ 2013 માં ફિલ્મ ‘કાઈ પો છે!’ થી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સુશાંતના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. કાઈ પો છે!’ તે પછી તેણે ‘શુદ્ધ દેશી રોમાંસ’, ‘પીકે’, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘કેદારનાથ’ અને ‘છિછોરે ‘ જેવી મોટી ફિલ્મો કરી. તે જ સમયે, તેની આગામી ફિલ્મ ‘દિલ બેચરા’ 24 જુલાઈના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થયેલી તેની ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">