New Date: આલિયા-રણબીર 2022ના આ મહિનામાં કરશે લગ્ન, સેલિબ્રેશન માટે તૈયાર થઈ જાય ફેન્સ

આ કપલ એકબીજા પર ખુબ જ પ્રેમ વરસાવે છે. સમય મળતાં જ બંને હંમેશા એકબીજા સાથે સમય પસાર કરવા બહાર નીકળી જાય છે. દિવાળી પર પણ બંને સાથે હતા અને બાંદ્રામાં બની રહેલા રણબીરના ઘરની દેખરેખ આલિયા પોતે કરી રહી છે.

New Date: આલિયા-રણબીર 2022ના આ મહિનામાં કરશે લગ્ન, સેલિબ્રેશન માટે તૈયાર થઈ જાય ફેન્સ
Ranbir Kapoor, Alia Bhatt
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 10:08 PM

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે, તે ફેન્સ દુખી થઈ શકે છે જેઓ આ કપલના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી લગ્નને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે આ વર્ષના અંતમાં બંને સાત ફેરાના બંધનમાં બંધાઈ જશે. પરંતુ હવે આ કપલ આ વર્ષે નહીં પરંતુ આવતા વર્ષે એપ્રિલ 2022માં લગ્ન કરશે.

રણબીર-આલિયા એપ્રિલ 2022માં લગ્ન કરશે

પાપરાઝી ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા તેણે જણાવ્યું કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન આવતા વર્ષે એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, કેટલાક અહેવાલો અનુસાર રણબીર અને આલિયાએ તેમના કામના પ્રતિબદ્ધતાને કારણે આવો નિર્ણય લીધો છે. એક વેબસાઈટનો દાવો છે કે હવે આ કપલ એપ્રિલમાં લગ્ન કરશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જોકે આ કપલ એકબીજા પર ખુબ જ પ્રેમ વરસાવે છે. સમય મળતાં જ બંને હંમેશા એકબીજા સાથે સમય પસાર કરવા બહાર નીકળી જાય છે. દિવાળી પર પણ બંને સાથે હતા અને બાંદ્રામાં બની રહેલા રણબીરના ઘરની દેખરેખ આલિયા પોતે કરી રહી છે.

બંને પોતાની આવનારી ફિલ્મોનું શુટિંગ પૂર્ણ કર્યા બાદ લગ્ન કરશે. તેમજ તેમનું ઘર બનવામાં પણ થોડો સમય બાકી છે. જેના કારણે આ કપલે લગ્ન હાલ જ મુલતવી રાખ્યા છે. આ સમાચાર બાદ તેના ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે બંનેને ટ્રોલ પણ કર્યા છે.

લોકોનું કહેવું છે કે બંનેના લગ્ન નહીં થાય, તેઓ માત્ર સમાચારોથી જ ચર્ચામાં રહે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં પણ એવા સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે પરંતુ પછી કોરોનાને અને પછી લોકડાઉન કારણે બંનેએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે એવા સમાચાર હતા કે ડિસેમ્બરમાં આ જોડી સાત ફેરા લેશે, પરંતુ હવે તેમના લગ્ન ફરી મુલતવી રાખવામાં આવ્યા છે.આ તેમના ચાહકો માટે સ્વાભાવિક રીતે જ ખરાબ સમાચાર છે.

તાજેતરમાં, દિવાળીના અવસર પર આલિયા અને રણબીર તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ (Brahmāstra)ના ડિરેક્ટર અયાન મુખર્જી સાથે મુંબઈના કાલી પૂજા પંડાલમાં જોવા મળ્યા હતા. બંને ભારતીય અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

રણબીર આલિયાનું વર્કફ્રન્ટ

ટૂંક સમયમાં જ બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવા જઈ રહ્યા છે. રણબીર કપૂર ‘બૈજુ બાવરા’ (Baiju Bawra), ‘શમશેરા’ (Shamshera) અને ‘અંદાઝ અપના અપના 2’ (Andaz Apna Apna 2)માં જોવા મળશે. બીજી તરફ આલિયાની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ (Gangubai Kathiawadi), ‘RRR’, ‘ડાર્લિંગ’ (Darlings) અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky Aur Rani Ki Prem Kahani) આવતા વર્ષે રિલીઝ થવાની છે. આલિયા હાલમાં ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :- Sooryavanshiએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ

આ પણ વાંચો :- Naacho Naacho Song: RRRનું પહેલું ગીત થયું રિલીઝ, જુનિયર એનટીઆર અને રામ ચરણ ડાન્સ કરતા મળ્યા જોવા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">