Bollywood News : નસીરુદ્દીન શાહે ખાન સ્ટાર્સ પર કરી કોમેન્ટ, કહ્યુ મુદ્દાઓ પર બોલવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે શું ગુમાવવુ પડશે
નસીરુદ્દીને કહ્યું કે મુસ્લિમ સમુદાયને ઉદ્યોગમાં ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી. આ ઉદ્યોગમાં અમારું યોગદાન ઘણું નોંધપાત્ર રહ્યું છે. હા, શરૂઆતમાં મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી.
નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) આજકાલ પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં છે. હવે અભિનેતાએ બોલીવુડના ત્રણ ખાન, શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan) અને આમિર ખાન (Aamir Khan) વિશે નિવેદન આપ્યું છે. નસીરુદ્દીને કહ્યું, ત્રણેય ખાન બોલીવુડ પર રાજ કરી રહ્યા છે. જો કે, તેમણે ત્રણ વિશે એમ પણ કહ્યું કે ત્રણે ખાન સામાજિક મુદ્દાઓ પર વાત કરતા નથી.
તમને જણાવી દઈએ કે નસીરુદ્દીને તાજેતરમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની ઉજવણી કરતા લોકોની નિંદા કરી હતી. જોકે, શાહરૂખ, આમિર અને સલમાને આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. હવે નસીરુદ્દીને આ અંગે કહ્યું, ‘હા તે લોકો ચિંતિત હશે કારણ કે તેમને આ માટે ઘણો વિરોધ કરવો પડશે. હું તેના માટે બોલી શકતો નથી, પણ હું સમજી શકું છું કે તે આનાથી ઘણું ગુમાવી શકે છે. તેઓ માત્ર વિરોધ કરશે, પણ તેઓ આર્થિક રીતે ઘણું ગુમાવી શકે છે.
નસીરુદ્દીન કહે છે કે અત્યાર સુધી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કોઈ ધાર્મિક ભેદભાવ અને ઈસ્લામોફોબિયા નથી, પરંતુ હવે સરકાર ફિલ્મ નિર્માતાઓને પ્રો એસ્ટાબ્લિશમેન્ટ ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
એટલું જ નહીં, નસીરુદ્દીને સરકારની તુલના નાઝી જર્મની સાથે પણ કરી. તેમણે કહ્યું, ‘નાઝી જર્મનીમાં આવું થતું હતું. ત્યાં સરકાર ફિલ્મ નિર્માતાઓને નાઝીઓની વિચારધારાનો પ્રચાર કરતી ફિલ્મો બનાવવા માટે કહેતી હતી. હવે મારી પાસે ભારતીય સિનેમા વિશે નક્કર પુરાવા નથી, પરંતુ તમે આ દિવસોમાં જે પ્રકારની ફિલ્મો આવી રહી છે તેના પરથી અનુમાન લગાવી શકો છો.
નસીરુદ્દીને કહ્યું કે મુસ્લિમ સમુદાયને ઉદ્યોગમાં ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી. આ ઉદ્યોગમાં અમારું યોગદાન ઘણું નોંધપાત્ર રહ્યું છે. હા, શરૂઆતમાં મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે ફરી ક્યારેય બન્યું નથી અને મને ક્યારેય ધર્મ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી. જો કે, આ ઉદ્યોગનો એક જ ભગવાન છે અને તે છે નાણાં. તમારી પાસે જેટલા પૈસા છે, તેટલું તમારું સન્માન થશે.
આ પણ વાંચો –
કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની
આ પણ વાંચો –
એમેઝોનના માલિક Jeff Bezosને ઘરડાં નથી થવું! વૃદ્ધત્વને રોકી શકે તેવા રિસર્ચમાં લગાવ્યા પૈસા
આ પણ વાંચો –