Lara Duttaએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ તો ચાહકે આપી તેમના લગ્નને લગતી આ સલાહ
સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના લોકો મળે છે અને ખાસ કરીને જો તમે સેલિબ્રિટી છો તો લોકો તમારી દરેક પોસ્ટ પર કમેન્ટ કરે તે સ્વાભાવિક છે. લારા દત્તા સાથે પણ આવું જ થયું. જ્યારે તેમણે તેમની યાત્રાને લગતી એક પોસ્ટ મૂકી ત્યારે તેમના એક ચાહકે તેમને તેમના લગ્ન અંગે સલાહ આપી.
ભારતીય સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી લારા દત્તા (Lara Dutta) હંમેશા તેના રસપ્રદ ફોટા અને પોસ્ટ દ્વારા તેમના ચાહકોના દિલ જીતી લે છે. તે સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે જોડાય છે અને આપણને તે કહે છે કે તે ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વની ધની છે. લારા દત્તા અવારનવાર પોતાની ફિલ્મો તેમજ તેમની ફેશન અને લુકના કારણે હેડલાઇન્સમાં રહે છે.
તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Koo પર પોતાની એક તસ્વીર શેર કરી, જેમાં તેમણે ઘણી તસ્વીરો ઉમેરીને કોલાજ બનાવ્યો અને તેને શેર કર્યો હતો. કોલાજમાં તેમણે તેમની મુસાફરીને લગતી તસ્વીરો મૂકી અને કેટલીક તસ્વીરો તેમની પુત્રી સાથે સારી ક્ષણો વિતાવતા તેમણે શેર કરી છે. તે પોસ્ટમાં લારા દત્તા લખે છે કે જો જીવન તમને ધીરે ધીરે ચાલવાનું શીખવી રહ્યું છે તો થોભી જવું જોઈએ.
ચાહકોએ આપી લગ્ન પર સલાહ
આ પોસ્ટ પર તેમના ચાહકોને લાગ્યું કે કદાચ તે તેમની કારકિર્દીને મિસ કરી રહી છે અને ફરીથી પોતાની ફિલ્મી કારકિર્દીમાં લાંબી ઉડાન ભરવા માંગે છે, પરંતુ કદાચ પરિણીત લારા હવે ઘણી જવાબદારીઓ સાથે છે. તેમની આ ભાવનાત્મક પોસ્ટ પર એક પ્રશંસકે તેમને એક સલાહ આપી અને કહ્યું, ‘અમે બધા જાણીએ છીએ કે તમારી ફિલ્મી કારકિર્દીએ એટલી ઉડાન નથી ભરી.
પરંતુ હજી પણ તમારો સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણો સારો પસાર થયો છે અને અમારી પાસે તમારી ઘણી યાદો છે. પરંતુ જોડી ઉપરવાળો બનાવે છે, જેના પર ન તો તમારુ જોર ચાલે છે અને ન તો અમારુ. બસ એટલુ કહીશ કે તમે તમારા જીવનની જવાબદારીઓ નિભાવતા જાવ, બાકીનું બધું સમય પર છોડી દો.
તેમની આ પોસ્ટ પછી તેમના ચાહકો પણ ખૂબ ભાવુક થઈ ગયા અને બેલ બોટમ (Bell Bottom) ફિલ્મમાં ભજવેલા ઈન્દિરા ગાંધીના પાત્રની પણ પ્રશંસા કરી. જો આપણે તેમના વર્કફ્રન્ટ પર નજર કરીએ તો લારા હમણાં કોઈ ફિલ્મ કરી રહી નથી, બેલ બોટમ તેમની છેલ્લી ફિલ્મ હતી જેમાં તેઓ દેખાયા હતા.
આ પણ વાંચો :- શું સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી કાયમ માટે મુંબઈ છોડી રહી છે શહેનાઝ ગિલ? જાણો શું છે સત્ય
આ પણ વાંચો :- Drugs Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યનને સતીશ માનશિંદે ન અપાવી શક્યા જામીન, હવે આ વકીલ લડશે કેસ