સલમાન ખાન ધમકી કેસમાં હવે કરણ જોહરનું નામ, સુશાંત સિંહ રાજપૂતના મોત માટે બિશ્નોઈ ગેંગ જવાબદાર
સલમાન ખાનને (Salman Khan) મળેલી ધમકીના સંદર્ભમાં પૂછપરછ દરમિયાન સૌરભ મહાકાલ (Saurabh Mahakal) દ્વારા પુણે પોલીસને આપેલા જવાબ મુજબ ફિલ્મ નિર્માતા કરણ જોહરનું નામ પણ હિટ લિસ્ટમાં સામેલ હતું.
સુપરસ્ટાર સલમાન ખાનને (Salman Khan) ધમકી આપવાના મામલામાં એક નવો ખુલાસો થયો છે. પ્રખ્યાત પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moose Wala Case) હત્યામાં મહારાષ્ટ્રના પુણેનું કનેક્શન સામે આવ્યું હતું. આ કેસમાં સંતોષ જાધવ અને સૌરભ મહાકાલની ધરપકડ કરવામાં આવી હતી. પુણે પોલીસની પૂછપરછમાં આરોપી સૌરભ મહાકાલનું (Saurabh Mahakal) નિવેદન નોંધવામાં આવ્યું છે. સૌરભ મહાકાલે પુણે પોલીસને આપેલા જવાબમાં ઘણા સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. સૌરભે કહ્યું છે કે સલમાન ખાન પછી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) પાસેથી 5 કરોડ વસૂલવાની યોજના હતી.
વિક્રમ બિશ્નોઈ ગેંગનો મહત્વનો સભ્ય
સલમાન ખાનને ધમકી આપવાના મામલામાં પૂછપરછ દરમિયાન સૌરભ મહાકાલે પૂણે પોલીસને આપેલા જવાબ મુજબ ફિલ્મ મેકર કરણ જોહરનું નામ પણ મહાકાલ અને બિશ્નોઈ ગેંગના હિટ લિસ્ટમાં સામેલ હતું. કરણ જોહર પાસેથી 5 કરોડ વસૂલ કરવાના હતા. હકીકતમાં બિશ્નોઈ ગેંગ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત માટે કરણ જોહરને જવાબદાર માને છે. એટલા માટે કરણ જોહર બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. સૌરભ મહાકાલના કહેવા મુજબ તે દુબઈમાં રહેતા વિક્રમ બરાર માટે કામ કરે છે. તે સિગ્નલ એપ દ્વારા વિક્રમ સાથે જોડાયો હતો. વિક્રમ બિશ્નોઈ ગેંગનો મહત્વનો સભ્ય છે.
સૌરભ મહાકાલ બાદ સંતોષ જાધવે પણ સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ સૌરભ મહાકાલે પુણે પોલીસ સાથેની પૂછપરછમાં હત્યા સાથે સિદ્ધુ મૂસેવાલાના કનેક્શનનો ઇનકાર કર્યો છે. હવે બીજા આરોપી સંતોષ જાધવે પણ આ કેસ સાથે કોઈ સંબંધ હોવાનો નનૈયો ભણ્યો છે. સંતોષ જાધવનું કહેવું છે કે પંજાબ પોલીસે તેને મુખ્ય શૂટર કહીને ફસાવી દીધો છે. સિદ્ધુ મૂસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી. તે સમયે તેઓ ગુજરાતમાં હતા. આ સંદર્ભે પુણે ગ્રામીણ પોલીસ અધિક્ષક અભિનવ દેશમુખે (Abhinav Deshmukh) આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
ત્રણ વર્ષથી બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ ધરાવે છે સંતોષ જાધવ
પ્રેસ કોન્ફરન્સમાં અભિનવ દેશમુખે જણાવ્યું કે, સંતોષ જાધવના બે સહયોગીઓની આજે પુણે નજીક નારાયણગાંવ પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી. 13 બંદૂકો અને મોબાઈલ મળી આવ્યા હતા. એક વાહન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જીવનસિંહ નાહર અને તેના એક સાથીદારને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે.
દેશમુખે જણાવ્યું કે, સંતોષ જાધવ અને બિશ્નોઈ ગેંગના કેટલાક ગુલામોને મધ્યપ્રદેશ મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને લાવવામાં આવ્યા છે. પુણે પોલીસે જણાવ્યું કે, સંતોષ જાધવ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ત્રણ વર્ષથી સંબંધ છે. બિશ્નોઈ ગેંગ પાંચ-છ રાજ્યો સુધી પહોંચી ગઈ છે. આ ગેંગના કેટલાક લોકો વિદેશમાં પણ છે. મહારાષ્ટ્રમાં પોલીસ આ ગેંગની કડીઓ શોધવાનું કામ કરી રહી છે.