The Kapil Sharma Show: કપિલે કંગનાને ટ્વિટર પ્રતિબંધ વિશે પૂછી લીધો એવો સવાલ કે સૌ ચોંકી ગયા, જાણો અભિનેત્રીનો જવાબ

કપિલ શર્માએ શો દરમિયાન કંગના રનૌત સાથે ઘણી મસ્તી કરી હતી. કપિલે કંગનાને તેના વિવાદ અને સોશિયલ મીડિયાને લઈને તેના નિવેદનો વિશે પૂછ્યું હતું. તેમજ કંગનાની મજાક પણ ઉડાવી હતી.

The Kapil Sharma Show: કપિલે કંગનાને ટ્વિટર પ્રતિબંધ વિશે પૂછી લીધો એવો સવાલ કે સૌ ચોંકી ગયા, જાણો અભિનેત્રીનો જવાબ
Kapil Sharma asked Kangana Ranaut about her twitter controversies and ban
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:03 AM

બોલિવૂડની સુંદર અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) શનિવારે કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’માં (The Kapil Sharma Show) પહોંચી હતી.

શો દરમિયાન અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. કપિલ પણ અભિનેત્રી સાથે ખૂબ મસ્તી કરતો જોવા મળ્યો હતો. કંગના પોતાની ફિલ્મ ‘થલાઇવી’ના (Thalaivii) પ્રમોશન માટે અહીં પહોંચી હતી. ફિલ્મ વિશે વાત કરતા કપિલ શર્માએ કહ્યું કે તેમની આખી ટીમે ‘થલાઈવી’નું ટ્રેલર જોયું છે જે બધાને ખૂબ પસંદ આવ્યું છે.

કંગના સાથે મસ્તી કરતી વખતે કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર વિવાદ અંગે ખુલીને વાત કરી હતી. કપિલે કંગનાને તેનો એક જૂનો વિડીયો બતાવ્યો હતો જેમાં કંગનાએ કપિલની છેલ્લી સીઝનમાં આવી હતી. તે સમયે કંગનાએ કહ્યું હતું કે “સોશિયલ મીડિયા પર માત્ર નકામા લોકો છે અને તેઓ આખો દિવસ ટ્વિટર પર સમય વિતાવે છે”. કપિલે આ વિડીયો બાદ અભિનેત્રીને પૂછ્યું કે પછી એવું તો શું થયું કે તમે સોશિયલ મીડિયા પર આવ્યા.

અભિનેત્રી હંમેશા તેની પોસ્ટ્સ માટે વિવાદમાં રહી છે. આ સવાલનો જવાબ આપતી વખતે, તેણીએ કહ્યું કે “જ્યારે મેં આ બધું કહ્યું હતું ત્યારે મારી પાસે ઘણું કામ હતું, પરંતુ લોકડાઉન દરમિયાન હું ઘરે હતી અને તે જ સમયે હું ટ્વિટરમાં પણ એક્ટીવ હતી. પરંતુ 2021 માં આ લોકડાઉન ખુલતાની સાથે જ ટ્વિટરે મારા પર પ્રતિબંધ મુકી દીધો. મેં પણ વિચાર્યું કે ચાલો સારું થયું. પરંતુ તે સમય દરમિયાન દરરોજ મારી સામે 200 થી વધુ એફઆઈઆર નોંધવામાં આવતી હતી. જે બાદ ટ્વિટરે જ પ્રતિબંધ મૂકી દીધો.”

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કપિલ શર્માના શોમાં પોતાની ફિલ્મ ‘થલાઇવી’ વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે, ‘અમે આ ફિલ્મ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે. જ્યાં આ ફિલ્મ તાજેતરમાં જ વિવેચકો દ્વારા સારી રીતે પસંદ કરવામાં આવી છે. આ સાથે, આ ફિલ્મને આજ સુધીની શ્રેષ્ઠ બાયોપિક પણ કહેવામાં આવી રહી છે. જેના કારણે અમે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.’ તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં કંગના તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જે. જયલલિતા (J. Jayalalithaa) ની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે. ફિલ્મમાં જે. જયલલિતાના જીવનમાં આવેલા ઘણા ઉતાર – ચઢાવ દર્શાવતી જોવા મળી રહી છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે, જ્યાં અભિનેત્રીની ફિલ્મ હવે હિટ માનવામાં આવી રહી છે.

જો કે ફિલ્મના પહેલા દિવસની કમાણી ખાસ રહી ન હતી. કોરોના સાથે બીજું કારણ એ પણ છે કે જલ્દી OTT પર ફિલ્મ આવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. કદાચ આ કારણે પ્રેક્ષક થિયેટર તરફ જતા અચકાય છે. અભિનેત્રીની આ ફિલ્મ ખૂબ જ જલ્દી OTT પર રિલીઝ થશે.

આ પણ વાંચો: Thalaivii Day 1 Collection: કંગનાની બહુચર્ચિત ફિલ્મ ઊંધા મોઢે પછડાઈ, પહેલા દિવસે માત્ર આટલાની કમાણી

આ પણ વાંચો: OMG: વર્ષો જૂની તસવીરમાં જોવા મળી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ, ફેન્સ રહી ગયા શોધતા

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">