AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બોલિવુડની દિગ્ગજ પીઢ અભિનેત્રી કામિની કૌશલનું નિધન

બોલીવુડમાં ઘણા અનુભવી કલાકારો છે જે પોતાની મોટી ઉંમર હોવા છતાં ચાહકોનું મનોરંજન કરતા રહે છે.આમાંથી એક કામિની કૌશલ હતી. જેમણે 98 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું છે.

Breaking News : બોલિવુડની દિગ્ગજ પીઢ અભિનેત્રી કામિની કૌશલનું નિધન
| Updated on: Nov 14, 2025 | 12:53 PM
Share

કામિની કૌશલનો જન્મ 16 જાન્યુઆરી 1927ના રોજ લાહોરમાં થયો હતો. કામિની કૌશલ બોલિવુડ અભિનેત્રી હતી. તેઓ નીચા નાગર (1946) અને બિરાજ બહુ (1954) જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. નીચા નાગરે 1946ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પામ ડી’ઓર જીત્યો હતો, જ્યારે બિરાજ બહુએ તેમને ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અપાવ્યો હતો.

કામિની કૌશલની હિટ ફિલ્મો

1946 થી 1963 સુધીની ફિલ્મોમાં તેમણે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી, જેમાં દો ભાઈ (1947), શહીદ (1948), ઝિદ્દી (1948 ફિલ્મ), શબનમ (1949), નદીયા કે પાર (1948), પારસ (1949), નામુના (1949), આરઝૂ (1950), ઝાંઝર (1953), આબ્રો (1953), નાઇટ ક્લબ (1958), જેલર (1958), બડે સરકાર અને ગોદાન (1963)નો સમાવેશ થાય છે, જે તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મો માનવામાં આવે છે.

લગ્ન બન્યા ચર્ચાનું કારણ

કામિની કૌશલ પરિવારમાં બે ભાઈઓ અને ત્રણ બહેનોમાં સૌથી નાની હતી. 26 નવેમ્બર, 1934 ના રોજ તેના પિતાનું અવસાન થયું ત્યારે તે માત્ર સાત વર્ષની હતી. કામિનીના લગ્નથી આખરે ત્રણ પુત્રો રાહુલ, વિદુર અને શ્રવણ છે.કામિની કૌશલે 1946માં આવેલી ફિલ્મ “નીચા નગર” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ તેમની ચર્ચા તેમની ફિલ્મોથી નહી પરંતુ લગ્નથી વધુ થઈ હતી, તેમની મોટી બહેનનું કાર અકસ્માતમાં અવસાન થયું હતુ. ત્યારબાદ પરિવારે કામિનીના લગ્ન તેમની બહેનના પતિ બી.એસ. શુદ સાથે કરાવ્યા હતા, જેથી તેમના બાળકોને માતાનો પ્રેમ મળી શકે.

પરિવાર લાઈમલાઈટથી દુર રહ્યો

કામિની કૌશલ બોલિવૂડની સૌથી મોટી ઉંમરની અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર આવતી હતી.અભિનેત્રીએ 1946 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની કારકિર્દી દરમિયાન, તેમણે દિલીપ કુમાર અને રાજ કપૂર સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. 2019માં, તેઓ “કબીર સિંહ” અને પછી 2022 માં “લાલ સિંહ ચઢ્ઢા” માં જોવા મળી હતી.અભિનેત્રી કામિની કૌશલના મૃત્યુની પુષ્ટિ કરતા, તેમના નજીકના એક સૂત્રએ તેમના પરિવારની ગોપનીયતાનું સન્માન કરવાની અપીલ કરી છે. એવું જાણવા મળ્યું છે કે કામિની કૌશલનો પરિવાર હંમેશા લાઈમલાઈટથી દૂર રહ્યો છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">