શું કિયારા અડવાણી સાથે લગ્ન કરવાના છે Sidharth Malhotra? અભિનેત્રીની આ ક્વોલિટી પર ફિદા છે અભિનેતા

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. સિદ્ધાર્થને તાજેતરમાં શેરશાહ ફિલ્મમાં ચાહકોએ જોયા છે. આ ફિલ્મ માટે અભિનેતાની ઘણી પ્રશંસા કરવામાં આવી છે.

શું કિયારા અડવાણી સાથે લગ્ન કરવાના છે Sidharth Malhotra? અભિનેત્રીની આ  ક્વોલિટી પર ફિદા છે અભિનેતા
Kiara Advani, Sidharth Malhotra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 6:18 PM

બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)એ પોતાની કારકિર્દીની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી. તેમની પહેલી જ ફિલ્મથી સિદ્ધાર્થ ચાહકો વચ્ચે છવાઈ ગયા હતા. આ ફિલ્મ પછી અભિનેતાએ ક્યારેય પાછું વળીને જોયું નથી. છેલ્લા ઘણા દિવસોથી સિદ્ધાર્થ અને કિયારા અડવાણી (Kiara Advani) એકબીજાને ડેટિંગ કરી રહ્યા હોવાના સમાચારો આવી રહ્યા છે.

તાજેતરમાં રિલીઝ થયેલી ‘શેરશાહ’ (Shershaah)માં સિદ્ધાર્થ અને કિયારા સાથે દેખાયા હતા. આ ફિલ્મ માટે બંનેના ખૂબ વખાણ પણ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હવે જ્યારે તેમની ડેટિંગના સમાચાર આવી રહ્યા છે, ત્યારે આ સ્ટાર્સ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળે છે, આવી સ્થિતિમાં ચાહકોની નજર એ વાત પર સ્થિર છે કે આ બંને  ક્યારે લગ્ન કરશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન

તાજેતરમાં શેરશાહમાં એકબીજાની સાથે દેખાયા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં એક વેબસાઈટ સાથેની વાતચીતમાં પોતાના લગ્ન વિશે ખુલીને વાત કરી હતી. જ્યારે અભિનેતાને લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે મને ખબર નથી (હું ક્યારે લગ્ન કરીશ). અભિનેતાએ કહ્યું છે કે હું ક્યારે લગ્ન કરીશ તેના કરતા વધારે મહત્વનું છે કે હું કોની સાથે લગ્ન કરીશ. જો કે, હું જેની સાથે લગ્ન કરીશ, હું ચોક્કસપણે દરેકને કહીશ.

તે જ સમયે, આ દરમિયાન જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તે 40 વર્ષના થાય ત્યાં સુધી 7 ફેરા નહીં લે? તો આના પર શેરશાહ ફેમ અભિનેતાએ કહ્યું છે કે મને ખરેખર ખબર નથી, આ અંગે કોઈ પણ પ્રકારની ટાઈમલાઈન નથી. જોકે મારુ માનવું છું કે લગ્ન યોગ્ય સમયે અને યોગ્ય રીતે થવા જોઈએ. લગ્ન ન તો બહુ વહેલા થવા જોઈએ અને ન તો બહુ મોડા.

કિયારાની કઈ વાતથી છે પ્રેમ

સિદ્ધાર્થે કિયારાની ક્વોલિટીને સમજાવતા કહ્યું કે એક વસ્તુ જે મને કિયારા વિશે ગમે છે તે છે કે ઓફ-કેમેરા તે તદ્દન અલગ છે, કિયારાને જોઈને કોઈ કહી શકે નહીં કે તે એક અભિનેત્રી છે. તે ખૂબ જ રેગ્યુલર અને નોર્મલ છે અને મને આ ક્વોલિટી ખુબ ગમે છે.

સિદ્ધાર્થે સ્પષ્ટ કર્યું કે તે કિયારામાં કોઈ ફેરફાર કરવા માંગતા નથી, કારણ કે તે પહેલેથી જ સંપૂર્ણ છે. તેમણે આગળ કહ્યું કે એક વાત હું ચોક્કસપણે બદલવા માંગુ છું કે કિયારાની મારી સાથે કોઈ લવ સ્ટોરી નથી. અભિનેતાએ કહ્યું કે તે આશા રાખે છે કે કિયારા તેની સાથે લવ સ્ટોરી ફિલ્મ કરે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘શેરશાહ’માં જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી, ત્યાં કિયારા વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પલ ચીમાના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મોમાં બંને પ્રથમ વખત સાથે દેખાયા હતા. ચાહકોએ બંનેની જોડીને ખૂબ પસંદ કરી છે.

આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ

આ પણ વાંચો:- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">