ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીરની વધી મુશ્કેલી, 22 ઓગસ્ટ પહેલા હાજર થવું પડશે
હાલમાં જ રણવીર સિંહે (Ranveer Singh) એક ઈન્ટરનેશનલ મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું જેના પછી સોશિયલ મીડિયાની સાથે સાથે દરેક જગ્યાએ તેની ટીકા થઈ હતી.
રણવીર સિંહે (Ranveer Singh) ગયા મહિને એક ઈન્ટરનેશનલ મેગેઝીન ‘પેપર’ના કવર પેજ માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ હતી. પરંતુ હવે તેની સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે કે ન્યૂડ ફોટોશૂટ કેસમાં મુંબઈ પોલીસ (Mumbai Police) હવે એક્ટરના ઘરે પહોંચી ગઈ છે. પરંતુ તે ઘરે હાજર ન હોવાથી પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. પોલીસ ફરી એકવાર રણવીરને નોટિસ આપવા જશે.
રણવીરના ઘરેથી ખાલી હાથ પાછી આવી મુંબઈ પોલીસ
વાસ્તવમાં શુક્રવારે જ મુંબઈ પોલીસ રણવીર સિંહના ઘરે પહોંચી હતી, પરંતુ તે શહેરમાં જ હાજર ન હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ ફરીથી એક્ટરના ઘરે નોટિસ આપવા જશે અને તેને 22 ઓગસ્ટ પહેલા પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
રણવીરનું ન્યૂડ ફોટોશૂટ થયું હતું વાયરલ
રણવીર સિંહે ગયા મહિને ઈન્ટરનેશનલ મેગેઝીન ‘પેપર’ના કવર પેજ માટે આ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું, જે બાદ તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ રણવીર સિંહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આ મારું જીવન છે અને હું કોઈપણ પ્રકારનું કામ કરી શકું છું અને જો હું ઈચ્છું તો 1000 લોકોની સામે નગ્ન થઈ શકું છું અને તેનાથી મને કોઈ ફરક નથી પડતો પરંતુ જો હું આવું કરીશ, તો લોકોને ચોક્કસપણે અગવડતા થશે.
આ તસવીરો જોઈને લોકો હેરાન થઈ ગયા હતા. પરંતુ તેની પત્ની અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તે ફોટોશૂટ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ તેના થોડા દિવસો પછી રણવીર સિંહે સંપૂર્ણ કપડામાં પોતાની કેટલીક તસવીરો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જેના પર દીપિકાએ કોમેન્ટ કરી હતી. રણવીર સિંહે પોતે એક દિવસ પછી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ન્યૂડ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી હતી અને ત્યાં સુધીમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો રણવીર સિંહ
રણવીર સિંહ છેલ્લે ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી.
પાઇપલાઇનમાં છે ઘણી બધી ફિલ્મો
’83’ પછી રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. પરંતુ રણવીર સિંહને આ બંને ફિલ્મો પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આ બંને ફિલ્મો પછી હજુ સુધી રણવીર સિંહની બીજી કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. પરંતુ તેની બકેટ લિસ્ટમાં કેટલીક વધુ ફિલ્મો છે જે આગામી સમયમાં રિલીઝ થશે, તેમાંથી એક છે ‘તખ્ત’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘સર્કસ’ અને ‘સિમ્બા 2’.