અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી FIR, જાણો શું છે કારણ

અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે થઈ છે. ઉત્તર પ્રદેશના ઇટાવામાં સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અજય દેવગન સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનું નામ પણ એફઆઈઆરમાં સામેલ છે.

અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવી FIR, જાણો શું છે કારણ
Ajay Devgn in Thank God
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 8:06 PM

ભગવાન ચિત્રગુપ્તના પાત્રને ફની રીતે દર્શાવવા બદલ એક્ટર અજય દેવગન સહિત ઘણા લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. અજય દેવગનની (Ajay Devgn) ફિલ્મ થેંકગોડમાં (Thank God) ભગવાન ચિત્રગુપ્તના પાત્રને કથિત રીતે દર્શાવવાને કારણે અખિલ ભારતીય કાયસ્થ મહાસભા ગુસ્સે થઈ છે. ઉત્તર પ્રદેશના ઇટાવાના સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના ઈટાવા એકમના પ્રમુખ નરેન્દ્ર રાયજાદાએ ઓનલાઈન એફઆઈઆર નોંધાવી છે. નરેન્દ્ર રાયજાદાની ફરિયાદ પર એક્ટર અજય દેવગન સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. રાયઝાદા કહે છે કે ફિલ્મ થેંકગોડમાં ભગવાન ચિત્રગુપ્તને વિદૂષક તરીકે દર્શાવતા અભદ્ર અને અપમાનજનક ભાષાના પ્રયોગ કરવા પર નારાજગી વ્યક્ત કરતો કેસ કાયસ્થ મહાસભાએ દાખલ કર્યો છે.

એફઆઈઆરમાં ફિલ્મના નિર્દેશક ઈન્દ્ર કુમાર, નિર્માતા આનંદ પંડિત, ભૂષણ કુમાર, અશોક ઠાકરિયા, કૃષ્ણ કુમાર, સુનીલ ખેત્રપાલ, એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા, એક્ટર અજય દેવગન, એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકીને ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

જૌનપુરમાં એક્ટર અજય દેવગન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી

આ પહેલા જૌનપુરમાં એક્ટર અજય દેવગન સહિત 3 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ચિત્રગુપ્ત મહારાજની મજાક ઉડાવતા વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ મોનિકા મિશ્રાએ ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સહિત અન્ય કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કોર્ટે ફરિયાદી હિમાંશુ શ્રીવાસ્તવ એડવોકેટના નિવેદન માટે 18 નવેમ્બરની તારીખ નક્કી કરી છે. ફિલ્મના ટ્રેલર સામે વાંધો ઉઠાવવાને લઈને ફિલ્મ એક્ટર અજય દેવગન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને નિર્દેશક ઈન્દર કુમાર વિરુદ્ધ જૌનપુરની સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નોરા ફતેહી પણ જોવા મળશે

તમને જણાવી દઈએ કે આ ફિલ્મ જીવન નાટક પર આધારિત છે, જે દર્શકોને એક સુંદર સંદેશ પણ આપશે. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઓનસ્ક્રીન સાથે જોવા મળશે. જ્યારે અજય અને રકુલ ત્રીજી વખત સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ પહેલા તેઓ ‘દે દે પ્યાર દે’ અને ‘રનવે 34’માં સાથે કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં નોરા ફતેહી પણ જોવા મળશે, જે યુટ્યુબ સેન્સેશન યોહાનીના સુપરહિટ ગીત ‘માનિકે માગે હિતે’ના હિન્દી વર્ઝન પર પરફોર્મ કરતી જોવા મળશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">