Drishyam Trailer: 18 નવેમ્બરના રોજ ખબર પડશે કે વિજયનો પરિવાર 2 ઓક્ટોબરના રોજ ક્યાં ગયો હતો, જુઓ વીડિયો

દ્રશ્યમની સફળતા બાદ ચાહકો આ ફિલ્મની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો એક નજર કરીએ અજય દેવગનની ફિલ્મના આ રસપ્રદ પ્રોમો પર

Drishyam Trailer: 18 નવેમ્બરના રોજ ખબર પડશે કે વિજયનો પરિવાર  2 ઓક્ટોબરના રોજ ક્યાં ગયો હતો, જુઓ વીડિયો
ફિલ્મ દ્રશ્યમ 2ના ટ્રેલરની ગ્રાન્ડ લોન્ચિંગનું ગોવામાં આયોજન કરવામાં આવ્યુImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 5:00 PM

Drishyam Trailer : ફિલ્મ દ્રશ્યમ 2 (Drishyam  2)ના ટ્રેલરની ગ્રાન્ડ લોન્ચિંગનું ગોવામાં આયોજન કરવામાં આવ્યુ હતુ. અજય દેવગણ, તબ્બુ અને અક્ષય ખન્નાની હાજરીમાં આ ફિલ્મના બીજા ભાગનું ટ્રેલર લોન્ચ થયું છે, તમને જણાવી દઈએ કે ફિલ્મ દ્રશ્યમ 2 વર્ષ 2017માં દિવગંત દિગ્દર્શક નિશિકાંત કામતે નિર્દેશિત કરી હતી. ફિલ્મ દ્રશ્યમ મોહનલાલાની મલયાલમ હિટ ફ્રેન્ચાઈઝીની રીમેક છે. ટ્રેલરની શરુઆત અજય દેવગણ (Ajay Devgn)ના મશહુર પાત્ર વિજય સાલગાંવકરની સાથે થાય છે.

નવી મિસ્ટ્રી સાથે આવશે સીઝન 2

વીડિયોમાં દેખાડવામાં આવ્યું કે સેમને ગુમ થયાને 7 વર્ષ બાદ પણ વિજય સાલગાંવકર અને તેના પરિવારને આ ઘટના માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે, કારણ કે હજુ સુધી આ કેસ બંધ થયો નથી, અક્ષય ખન્ના હવે આ સમગ્ર કેસમાં તપાસ અધિકારી બનાવવામાં આવ્યા છે અને તે કોઈ પણ રીતે વિજય પાસે સત્ય બોલાવવા માંગે છે, પરંતુ તેની પાસે યોગ્ય સબુત નથી. પૂર્વ આઈજી અને સેમની માતા તબ્બુ ફરી એક વખત ચોથું ધોરણ નાપાસ વિજયને સમજવાની ભુલ કરી રહી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઈશિતા દત્તા, અક્ષય ખન્ના, રજત કપુર અને શ્રિયા સરન મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દ્રશ્યમ 2ને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્દેશક નિશિકાંત કામતે નિર્દેશિત કરી હતી, જેનું 2020માં 50 વર્ષની ઉંમરમાં નિધન થયું હતુ.

ડાયલોગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

2015ની હિટ હિન્દી ફિલ્મ ‘દ્રશ્યમ’માં અજયનું પાત્ર વિજય સલગાંવકર લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. 2 ઓક્ટોબરનો તેમનો ડાયલોગ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ ફિલ્મમાં વિજય સલગાંવકરે બધાને ખાતરી આપી હતી કે સેમ ગુમ થયો તે દિવસે તેનો પરિવાર રજા પર ગયો હતો. તે તેના પરિવારને હત્યાની સજાથી બચાવવા માટે સમગ્ર આયોજન કરે છે. હવે દ્રશ્યમની નવી સિઝનમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે આ વિજય સલગાંવકર પોતાના પરિવારને પોલીસની નજરથી બચાવવા માટે કયો નવો રસ્તો અપનાવે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">