Dilip Kumar Death: દિલીપકુમારનુ અંગત જીવન પણ હતુ ચર્ચામાં, મધુબાલાને બદલે વીસ વર્ષ નાની સાયરાબાનુ સાથે કર્યા હતા લગ્ન
Tragedy King Dilip Kumar : બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપકુમાર હંમેશા ચર્ચામાં રહ્યા છે. પછી તે ફિલ્મોને કારણે ચર્ચામાં હોય કે તેમના અંગત જીવનને લઈને.
બોલિવૂડનાં ટ્રેજેડી કિંગ Dilipkumar તેની ફિલ્મોને કારણે હંમેશા ચર્ચામાં રહ્યાં છે, પરંતુ તેમનું અંગત જીવન પણ ખુબ ચર્ચામાં રહ્યું છે. સાયરા બાનુ (Sairabanu) પ્રત્યેના પ્રેમને કારણે તેઓ ખુબ સમાચારોમાં હતા. સાયરા બાનુ, દિલીપકુમારની ચાહક હતી અને દિલીપકુમાર તેના કરતા મોટી ઉમરના હોવા છતાં તેણે લગ્ન કરી લીધાં. લગ્ન સમયે સાયરા બાનુ માત્ર 22 વર્ષની હતી, જ્યારે દિલીપકુમાર (Dilip Kumar) 44 વર્ષના હતા.
સાયરા બાનુએ એક મુલાકાતમાં દિલીપકુમાર વિશે વાત કરી હતી અને દિલીપ કુમારની ઘણી ટેવો અંગે વાતચીત કરી હતી. સાયરા બાનુએ (Sairabanu) કહ્યું હતું કે જ્યારે પણ દિલીપકુમાર ગુસ્સે થાય છે ત્યારે તે ઘરનો સામાન ઉપાડીને ફેંકી દે છે. બધુ વેરવિખેર કરી નાખે છે.
સાયરા બાનુએ કહ્યું હતું કે “જ્યારે પણ દિલીપકુમાર ગુસ્સે થાય છે ત્યારે તે ઘરની બે-ચાર ચીજો ઉપાડીને ફેંકી દે છે.” તેમનો ગુસ્સો બાળક જેવો છે.
દિલીપકુમારના સંબંધોની ચર્ચાઓ મધુબાલા સાથે પણ થતી હતી. પરંતુ દિલીપ કુમારે મધુબાલા સાથે લગ્ન નહોતા કર્યા. 1966 માં તેણે સાયરા બાનુ સાથે લગ્ન કર્યા. બંનેની ઉંમરમાં લગભગ 20 વર્ષનો તફાવત છે. લગ્નના વર્ષો પછી પણ બંને વચ્ચેનો પ્રેમ એક સરખો છે.
બાન્દ્રા ખાતે રહેતા, દિલીપકુમારે 98 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અવસ્થાને કારણે થતી બીમારીઓથી પિડાતા હતા. છેલ્લા એક માસમાં તેઓ બે વાર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. દિલીપકુમાર છેલ્લા કેટલાય સમયથી તેમનુ રોજબરોજનુ કામ જાતે નહોતા કરી શકતા. તેઓ સાયરા બાનુની (Sairabanu) મદદ લેતા હતા. સાયરા બાનુ દિલીપ કુમારના અંતિમ શ્વાસ સુધી સાથે રહ્યા હતા. સાયરા બાનુ દિલીપકુમારના પડછાયાની માફક તેમની સાથે રહ્યાં હતા.