આલિયા ભટ્ટની Darlingsનું નવું સોન્ગ થયુ રિલીઝ, લોકોને પસંદ આવશે ‘દિલ હમારા લા ઈલાજ હૈ’
આ સોન્ગ લોન્ચ થયુ તે દરમિયાન આલિયા ભટ્ટે કહ્યું કે આ સોન્ગ માટે મારુ રિએકશન દર્શકો જેવુ હતુ, ના કે એક પ્રોડ્યૂસર કે એક્ટર જેવુ. મારી આત્માએ તેના પર પ્રતિક્રિયા આપી. અરિજીત સિંહને ગાતા જોઈ મારા રુઆટા ઉભા થઈ ગયા. મૂવીમાં જ્યારે આ આવે છે તો તે ખુબ મહત્વપૂર્ણ લાગે છે.
બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંથી એક આલિયા ભટ્ટ (alia bhatt) હાલ તેના જીવનનો શ્રેષ્ઠ સમય જોઈ રહી છે. તેની એક પછી એક ફિલ્મો હીટ થઈ રહી છે. હાલમાં જ તેના લગ્ન થયા અને તેના જીવનમાં નવો મહેમાન પણ આવવાની તૈયારીમાં છે. તે બધા વચ્ચે 5 ઓગસ્ટના રોજ આલિયા ભટ્ટની મૂવી ડાર્લિગ્સ (darlings) નેટફિલ્સ પર રિલીઝ થવા જઈ રહી છે. તેનું એક સોન્ગ આજે રિલીઝ થયુ છે. આ સોન્ગ અરિજીત સિંહના અવાજમાં છે. મ્યૂઝિક વિશાલ ભારદ્વાજનું છે. જ્યારે આ સોન્ગ ગુલઝાર સાહેબે લખ્યુ છે. આ સોન્ગમાં આવતા તમામ શબ્દો, મ્યૂઝિક અને અરિજીત સિંહનો અવાજ તેને વધારે સુંદર બનાવી રહ્યુ છે. આ મૂવીમાં આલિયા ભટ્ટ, વિજય વર્મા, રોશન મૈથ્યૂ, શૈફાલી શાહ અને રાજેશ શર્મા પોત પોતાની ભૂમિકામાં જોવા મળશે.
આ સોન્ગ લોન્ચ થયુ તે દરમિયાન આલિયા ભટ્ટે કહ્યું કે આ સોન્ગ માટે મારુ રિએકશન દર્શકો જેવુ હતુ, ના કે એક પ્રોડ્યૂસર કે એક્ટર જેવુ. મારી આત્માએ તેના પર પ્રતિક્રિયા આપી. અરિજીત સિંહને ગાતા જોઈ મારા રુઆટા ઉભા થઈ ગયા. મૂવીમાં જ્યારે આ આવે છે તો તે ખુબ મહત્વપૂર્ણ લાગે છે.
આ મૂવીની ડાયરેક્ટર જસમીત રીને કહ્યું કે અમને એવુ સોન્ગ જોઈતું હતું, જ્યાં 2 લોકો એકબીજાના પ્રેમમાં પાગલ હોય, પરંતુ તેમનામાં કંઈક તૂટી ગયુ હોય. આ માટે ગુલઝાર સાહેબે અમને 2 શબ્દો આપ્યા અને તે છે- ઈલાજ . એક દિવસ પહેલા, ગીતનું ટીઝર રિલીઝ કરતી વખતે, આલિયાએ લખ્યું હતું કે, ચેતવણી: આ સોન્ગ સાંભળ્યા પછી, તમે લા ઈલાજ થઈ જશો.
આ ડાર્લિગ્સ મૂવી બાદ આગામી સમયમાં આલિયા ભટ્ટ, અયાન મુખર્જીની મૂવી બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ મૂવીમાં તે પહેલીવાર રણવીર કપૂર સાથે જોવા મળશે. આ મૂવી 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ મૂવીમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ જોવા મળશે.
100 વર્ષની ઉંમર સુધી કામ કરવાની ઈચ્છા
હાલમાં પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટ તેના મૂવીના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે દરમિયાને તેમને સવાલ કરવામાં આવ્યો કે તમે માતા બનવા જઈ રહ્યા છો તમને કેવુ લાગી રહ્યું છે, તમે એક પછી એક પ્રોજેક્ટસ કરી રહ્યા છો, શું તમને આરામની જરુરત નથી? તેના પર આલિયા ભટ્ટે જવાબ આપ્યો કે, હું કામ કરતી વખતે જીવંત અનુભવુ છુ. જો તમે ફિટ અને ફાઈન હોવ તો તમારે આરામ કરવાની જરૂર નથી. જ્યારે હું કામ કરું છું ત્યારે હું હળવાશ અનુભવું છું. તે મારો જુસ્સો છે. તે મારા હૃદય અને આત્માને જીવંત અને ચાર્જ રાખે છે. હું 100 વર્ષની ઉંમર સુધી કામ કરીશ.