અક્ષય કુમારે સીએમ યોગી આદિત્યનાથને જન્મદિવસ પર પાઠવી શુભેચ્છા તો કંગનાએ કહ્યું કે તે મને બહેનની જેમ રાખે છે

અક્ષય કુમાર (Akshay Kumar) અને કંગના રનૌતે સોશિયલ મીડિયા પર યોગી આદિત્યનાથને તેમના 50માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે અક્ષયે તેના લાંબા આયુષ્યની કામના કરી તો કંગનાએ કહ્યું કે તે તેને પોતાની બહેન માને છે.

અક્ષય કુમારે સીએમ યોગી આદિત્યનાથને જન્મદિવસ પર પાઠવી શુભેચ્છા તો કંગનાએ કહ્યું કે તે મને બહેનની જેમ રાખે છે
Akshay Kumar, Kangana Ranaut And Yogi Adityanath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 9:41 PM

રવિવારે, અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar), ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને (CM Yogi Adityanath) તેમના 50માં જન્મદિવસ પર ટેગ કરીને, ટ્વિટર પર લખ્યું, ‘તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ યોગી આદિત્યનાથજી, તમારા લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ. અભિનંદન. કંગનાએ (Kangana Ranaut) તેના જન્મદિવસ પર ટ્વીટર પર લખ્યું કે ‘તે છે જેણે હંમેશા મને એક બહેન તરીકે પ્રેમ અને સન્માન આપ્યું છે. હું યોગીજીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરું છું અને આશા રાખું છું કે તેમનો મહિમા સમગ્ર વિશ્વમાં ચમકે.

કંગનાએ તેના જન્મદિવસ પર યોગી આદિત્યનાથની એક તસવીર શેયર કરી હતી

પીએમ નરેન્દ્ર મોદીએ પણ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યોગી આદિત્યનાથને તેમના જન્મદિવસ પર ટેગ કર્યા અને ટ્વિટર પર લખ્યું, ‘ઉત્તર પ્રદેશના ગતિશીલ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથજીને જન્મદિવસની શુભેચ્છા. તેમના સક્ષમ નેતૃત્વમાં રાજ્ય પ્રગતિના શિખરોને સ્પર્શ્યું છે. તેમણે રાજ્યની જનતાને લોક તરફી શાસનની ખાતરી આપી છે. લોકોની સેવામાં તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.

હાલમાં જ સીએમ યોગી આદિત્યનાથે અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી છે. તેમણે લખનૌના લોક ભવનમાં દર્શાવવામાં આવેલી ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન માનુષી છિલ્લર, અક્ષય કુમાર અને ફિલ્મના નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ હાજર હતા. યોગી આદિત્યનાથે સમગ્ર ટીમને અભિનંદન આપતાં કહ્યું ‘આ ઐતિહાસિક ફિલ્મમાં અક્ષય કુમારને બેસ્ટ રીતે બતાવવામાં આવ્યો છે.’

ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કર્યા બાદ આ ફિલ્મને મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ જાહેરાત કરી હતી કે આ ફિલ્મને રાજ્યમાં ટેક્સ ફ્રી બનાવવામાં આવી છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂને રિલીઝ થઈ હતી

‘સમ્રાટ પૃથ્વીરાજ’થી મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર ભજવી રહ્યો છે, જ્યારે માનુષી તેની પત્ની સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં આ બે સ્ટાર્સ સિવાય સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ, આશુતોષ રાણા અને સાક્ષી તંવર પણ જોવા મળ્યા છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">