ફિલ્મો ફ્લોપ થવાને કારણે અક્ષય અને ટાઇગરની ફી પર અસર! નવી ફિલ્મ માટે ફીમાં ઘટાડો?
જેકી ભગનાનીના આ ખબરોને અવગણ્યા પછી તે સ્પષ્ટ છે કે ટાઇગર (Tiger Shroff) અને અક્ષયની ફ્લોપ ફિલ્મોએ તેમની સેલેરી પર અને તેમના મનોબળ પર પણ અસર કરી નથી.
અક્ષય કુમાર (Akshsy Kumar) અને ટાઈગર શ્રોફની (Tiger Shroff) હાલમાં જ રિલીઝ થયેલી સમ્રાટ પૃથ્વીરાજ, હીરોપંતી 2 અને બચ્ચન પાંડે જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ છે. આ દરમિયાન એવા સમાચાર છે કે આ ફ્લોપ ફિલ્મોને કારણે બોલિવૂડ અભિનેતા અક્ષય અને ટાઇગરની ફી પર અસર પડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અક્ષય અને ટાઈગરે અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં માટે તેમની ફીમાં ઘટાડો કર્યો છે. પરંતુ આ દરમિયાન ફિલ્મના નિર્માતા જેકી ભગનાનીએ આ સમાચાર પર મૌન તોડ્યું અને આ સમાચારોને આધારહિન ગણાવ્યા.
જેકી ભગનાનીએ આપી વાયરલ સમાચાર પર પ્રતિક્રિયા
અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનો 8 ફેબ્રુઆરીએ ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો. આ લુકમાં અક્ષય અને ટાઈગર એક્શન અવતારમાં જોવા મળ્યા હતા. ફર્સ્ટ લુક પછી ફિલ્મ વિશે કોઈ અપડેટ સામે આવ્યું ન હતું, તેથી દર્શકોને લાગ્યું કે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું છે. આ સમાચાર પર જેકી ભગનાનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને ફિલ્મ વિશે અન્ય જાણકારી પણ શેર કરી છે.
એક ન્યૂઝ પોર્ટલના સમાચાર જેકી ભગનાનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. આ સમાચારમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાંના પોસ્ટપોન અને અક્ષય અને ટાઈગરની સેલેરી વિશે લખવામાં આવ્યું છે. જેકી ભગનાનીએ આ ટ્વીટને રીટ્વીટ કરતા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની ફીમાં ઘટાડાનાં સમાચારને આધારહીન ગણાવતાં લખ્યું- આ સંપૂર્ણપણે ખોટું છે. સોર્સમાં એક પ્રોડ્યુસર છે. એક્શન પેક્ડ બ્લાસ્ટ માટે તૈયાર રહો જે હંમેશા ટ્રેક પર હોય.
અહીં જુઓ જેકી ભગનાનીનું ટ્વીટ
એક ન્યૂઝ પોર્ટલે તેના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમના હાલની ફ્લોપ ફિલ્મોને કારણે તેમની ફી ઘટાડવા માટે સંમત થયા છે. ફિલ્મ બડે મિયાં છોટે મિયાં આવવાની છે, આ ફિલ્મ સારી કમાણી કરી શકે એટલે બંને કલાકારોએ આ પગલું ભર્યું. હવે જેકી ભગનાનીના આ ખબરોને અવગણ્યા પછી તે સ્પષ્ટ છે કે ટાઇગર અને અક્ષયની ફ્લોપ ફિલ્મોએ તેમની સેલેરી પર અને તેમના મનોબળ પર પણ અસર કરી નથી. ટૂંક સમયમાં જ બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.