માતા અમૃતાસિંહ સાથે અચાનક પોલીસ સ્ટેશન પહોંચી અભિનેત્રી સારા અલી ખાન, પ્રોપર્ટીનો વિવાદ બન્યું કારણ
બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંહ સાથે દેહરાદૂનના ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશન પહોંચી. થયું એવું કે અમૃતા સિંહના મામા લેખક મધુસૂદન બિમ્બેટનું શનિવારે નિધન થયું. ત્યારબાદ તેમની કરોડોની સંપત્તિ પર વિવાદ ગરમાયો. કેરટેકરે જણાવ્યું કે મામા અને ભાણેજ અમૃતાસિંહ વચ્ચે સંપત્તિને લઈને ઘણાં વર્ષોથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. મામાના અંતિમ સંસ્કાર કર્યા […]
બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન પોતાની માતા અમૃતા સિંહ સાથે દેહરાદૂનના ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશન પહોંચી. થયું એવું કે અમૃતા સિંહના મામા લેખક મધુસૂદન બિમ્બેટનું શનિવારે નિધન થયું. ત્યારબાદ તેમની કરોડોની સંપત્તિ પર વિવાદ ગરમાયો.
કેરટેકરે જણાવ્યું કે મામા અને ભાણેજ અમૃતાસિંહ વચ્ચે સંપત્તિને લઈને ઘણાં વર્ષોથી કોર્ટ કેસ ચાલી રહ્યો છે. મામાના અંતિમ સંસ્કાર કર્યા બાદ અમૃતા પોતાની દીકરી સારા અલી ખાન સાથે વિવાદિત પોલીસ સ્ટેશન પર પહોંચી.
ત્યારબાદ કેરટેકરે અમૃતા સિંહ પર સંપત્તિ પર કબજો હોવાનો આરોપ લગાવતા ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશનમાં ફરપિયાદ કરી છે. પછીથી અમૃતાએ દીકરી સાથે ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશનમાં પહોંચી પોતાનો પક્ષ રજૂ કર્યો. હાલ પોલીસ બંનેના પક્ષની તપાસ કરી જિલ્લા અધિકારીને રિપોર્ટ મોકલવાનું આશ્વાસન આપ્યું છે.
આ પણ વાંચો: તૈમૂરનો એરપોર્ટ લૂક જોઈ તમે બોલી ઉઠશો, ‘વાહ, છોટે નવાબ, વાહ’ VIDEO
તમને જણાવી દઈએ કે દેહરાદૂનમાં ગ્રાફિક એરા વિશ્વવિદ્યાલય જેટલી અભિનેત્રી અમૃતા સિંહના મામા લેખત મધુસૂદન બિમ્બેટની આશરે 24 વીઘા જમીનમાં કરોડોની સંપત્તિ છે. આ સંપત્તિને લઈને મામા મધુસૂદન અને અમૃતા સિંહ વચ્ચેનો કેસ જિલ્લા અધિકારી અને સિવિલ જજ સીનિયર ડિવિઝન પાસે વિચારણા હેઠળ છે. મધુસૂદન કેંસરપીડિત હતા. 22 ડિસેમ્બરે તેમને પહેલા જોલીગ્રાંટ હોસ્પિટલમાં લઈ જવાયા અને જ્યાંથી તેમને દિલ્હી રેફર કરાયા.
6 જાન્યુઆરીએ મધુસૂદન બિમ્બેટને પાછા જોલીગ્રાંટ લાવવામાં આવ્યા. ઉપચાર દરમિયાન મધુસૂદને શનિવારે સવારે છેલ્લો શ્વાસ લીધો. મામાની મોતની ખબર મળ્યા બાદ અમૃતા સિંહ પોતાની દીકરી અભિનેત્રી સારા અલી ખાન સાથે બપોરે 3 વાગ્યે જોલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચી. હોસ્પિટલમાં મામાના પાર્થિવ શરીરને લઈને અમૃતા ચંદ્રબની સ્થિત સ્મશાન પર પહોંચી. અંતિમ સંસ્કાર કર્યા બાદ અમૃતા દીકરી સાથે સીધી સંપત્તિ પર પહોંચી.
આ પણ વાંચો: જાણો લગ્ન બાદ કેમ રણવીરસિંહ બન્યો ઘરજમાઈ? કારણ જાણીને દરેક યુવતીને થશે, કાશ.. મારો વર પણ આવું કરે!
આ તમામ ઘટના દરમિયાન કેરટેકર ખુશીરામે ક્લેમેંટાઉન પોલીસ સ્ટેશન પહોંચીને આરોપ લગાવ્યો ક અમૃતા સિંહે કેટલાક લોકોનો સાથ લઈને મધુસૂદનની સંપત્તિ પર કબજો કરી લીધો છે.
આરોપ લગાવ્યો કે તેણે જબરદસ્તી ચાવી લેવાનો પ્રયાસ કર્યો છે. ચાવી ન આપવા પર તેણે સંપત્તિ પર લગાવેલા તાળાઓ તોડી દીધા છે. આવી માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો અમૃતા સારા અલી ખાન સાથે પોલીસ સ્ટેશન આવી ગઈ. અમૃતા સિંહે પોલીસ સ્ટેશન ચીફ ધર્મેન્દ્ર સિંગ રોતેલાને મળીને કબજાના આરોપને નિરાધાર ગણાવ્યો. તેણે કીધું કે કેટલાક લોકો મામાની સંપત્તિ પર કબજો કરવા માગે છે. તે તો પોતાના મામાની મોતની ખબર સાંભળીને અહીં પહોંચી છે.
[yop_poll id=692]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]