BOLLYWOOD : કેમ મુકેશ ખન્નાને અજય દેવગન અને શાહરૂખ ખાન પર આવ્યો ગુસ્સો ?
મુકેશ ખન્ના સોશ્યલ મીડિયા પર અવારનવાર સોશિયલ ઇશ્યૂ પર વાત કરતા જોવા મળે છે. તાજેતરમાં, અભિનેતાએ શાહરૂખ ખાન અને અજય દેવગણને નશીલા પદાર્થોના પ્રમોશન માટે વ્યંગ કર્યો અને પ્રચાર માટે ઘેર્યા છે. સોશિયલ મીડિયા પર અભિનેતાએ અજય દેવગન સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેના પર લખ્યું હતું ‘ક્યારેય પોતે ખાયને જોયું છે ? […]
મુકેશ ખન્ના સોશ્યલ મીડિયા પર અવારનવાર સોશિયલ ઇશ્યૂ પર વાત કરતા જોવા મળે છે. તાજેતરમાં, અભિનેતાએ શાહરૂખ ખાન અને અજય દેવગણને નશીલા પદાર્થોના પ્રમોશન માટે વ્યંગ કર્યો અને પ્રચાર માટે ઘેર્યા છે.
સોશિયલ મીડિયા પર અભિનેતાએ અજય દેવગન સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેના પર લખ્યું હતું ‘ક્યારેય પોતે ખાયને જોયું છે ?
કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે “બોલો જુબાન કેસરી, ઉંચે લોગો કિ પસંદ, મૈં યું હી નહીં બન જાતા, આ એમ ધ મેન ઓફ ઓલ સીઝન. આ બધું શું છે? લોકોને ભ્રમિત કરવાના ખતરનાક રસ્તા. નુકશાનકારક વસ્તુંનો નાટકીય ઢંગથી પ્રચાર. કોઈ આને રોકતું નથી.
અભિનેતાઓના પ્રચાર ઉપર ગુસ્સો
અભિનેતા દ્વારા આ મુદ્દાને લગતી એક વિડિઓ પણ શેર કરવામાં આવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, ‘આપણી આજુબાજુ ઘણા એવા ઉત્પાદનો છે જે શરીર માટે નુકસાનકારક છે. પરંતુ હજી પણ સરકાર તેમને મંજૂરી આપે છે. હું સિગરેટ, દારૂ અને ગુટખા વિશે વાત કરું છું. હું સરકાર કરતા બોલિવૂડ કલાકારોથી વધુ આશ્ચર્ય પામું છું જેઓ પોતાનો ચહેરો આપીને તેનું પ્રચાર કરે છે. “