અભિનેતા Sonu Sood વિરુદ્ધ BMC એ નોંધાવી એફઆઈઆર

લોકડાઉન દરમિયાન ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ઉપર 6 માળની રહેણાંક ઇમારતને હોટલમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકાયો છે.

અભિનેતા Sonu Sood વિરુદ્ધ BMC એ નોંધાવી એફઆઈઆર
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 07, 2021 | 2:42 PM

લોકડાઉન દરમિયાન ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) ઉપર 6 માળની રહેણાંક ઇમારતને હોટલમાં રૂપાંતરિત કરવાનો આરોપ મૂકાયો છે. આ કેસમાં બીએમસીએ (BMC) સોનુ સૂદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીએમસીનો આરોપ છે કે સોનુ સૂદે કથિત 6 માળના રહેણાંક મકાનને હોટલમાં રૂપાંતરિત કરતા પહેલા જરૂરી મંજૂરી લીધી ન હતી. બીએમસીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું છે કે, સોનુ સૂદ સામે મહારાષ્ટ્ર રિજન અને ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.

જો કે સોનુ સૂદે સ્પષ્ટ કર્યું કે તેમણે ફેરફારના મામલે બીએમસીની મંજૂરી લીધી હતી અને તેઓ ફક્ત મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીની મંજૂરીની રાહ જોઈ રહ્યા હતા.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

બીએમસીએ 4 જાન્યુઆરીએ સોનુ સૂદ સામે એફઆઈઆર નોંધાવી હતી. જુહુ પોલીસને આપતી ફરિયાદમાં બીએમસીએ જણાવ્યું હતું કે, “સોનુ સૂદે એબી નાયર રોડ પરની શક્તિ સાગર બિલ્ડિંગને પરવાનગી વિના હોટલમાં રૂપાંતરિત કરી હતી.”

બીએમસીનું એમ પણ કહેવું છે કે હોટલ બનાવવા માટે આ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું. નોટિસ આપ્યા પછી પણ બાંધકામ ચાલુ રાખ્યું હતું. એટલું જ નહીં, આ બાંધકામ પૂર્વે તેમણે ઓથોરિટી પાસેથી જરૂરી તકનીકી પરવાનગી પણ લીધી ન હતી.

બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે ઓક્ટોબરમાં બીએમસી દ્વારા મોકલેલી નોટિસ સામે સૂદે શહેરની સિવિલ કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટ તરફથી તેમને કોઈ વચગાળાની રાહત મળી નથી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોર્ટે સુદને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે ત્રણ અઠવાડિયા આપ્યા હતા. કોર્ટમાંથી ત્રણ અઠવાડિયા પસાર થયા છે, પરંતુ તેઓએ અત્યાર સુધી અનધિકૃત બાંધકામોને હટાવ્યા નથી, તેથી અમે પોલીસને એમઆરટીપી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">