PM Modi ની ટીકા કરનારાઓને Anupam Kher એ આપ્યો જવાબ – આવશે તો મોદી જ
તાજેતરમાં જ જ્યારે એક વ્યક્તિએ પીએમ મોદી અને તેમની સરકારની ટીકા કરી હતી ત્યારે અનુપમ ખેરએ કંઈક એેવુ કહ્યું હતું કે તેમનું ટ્વિટ સોશિયલ મીડિયા પરની હેડલાઇન્સમાં છે.
અનુપમ ખેર ઘણી વાર ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં બોલ્યા છે. હાલમાં જ જ્યારે એક વ્યક્તિએ પીએમ મોદી અને તેમની સરકારની ટીકા કરી હતી ત્યારે અનુપમે કંઇક એવું કહ્યું હતું કે તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પરની હેડલાઇન્સમાં છે. અનુપમે તો તે ટ્વીટમાં એ પણ કહ્યું હતું કે આવશે તો મોદી જ.
તે વ્યક્તિએ લખ્યું, 60 ના દાયકામાં એક બાળક તરીકે, મેં ઘણા સંકટ જોયા, જેમાં 3 યુદ્ધો, ખોરાકનો અભાવ અને ઘણા બધા ઉપદ્રવનો સમાવેશ થાય છે. આપણા ભાગલા પછીનું આ સૌથી મોટુ સંકટ છે અને ભારતે કદી જોયું નથી કે સરકાર આ રીતે કાર્યવાહીમાંથી ગુમ થઈ ગઈ છે. કોઈ કંટ્રોલ રૂમ નથી, કોઈ જવાબદારી નથી.
અનુપમે તેમના ટ્વિટના જવાબમાં જવાબ આપ્યો અને લખ્યું, આ કંઈક વધારે થઈ ગયું છે. તમારા ધોરણ પ્રમાણે પણ કોરોના એક આપત્તિ છે. આખી દુનિયા માટે. આ મહામારીનો સામનો આપણે પહેલાં ક્યારેય કર્યો નથી. સરકારની ટીકા કરવી જરૂરી છે. તેમના પર દોષારોપણ લગાવો, પરંતુ તેની સાથે લડવું આપણા બધાની જવાબદારી છે. જો કે ગભરાતા નહીં. આવશે તો મોદી જ !! જય હો! અનુપમના આ ટ્વિટ પર લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. કેટલાક અનુપમની વાતને ટેકો આપી રહ્યા છે તો કેટલાક તેમને ટ્રોલ કરી રહ્યાં છે.
અહીં વાંચો અનુપમ ખેરની ટ્વિટ read anupam kher tweet here
आदरणीय @ShekharGupta जी!! ये कुछ ज़्यादा ही हो गया।आपके स्टैंडर्ड से भी।करोना एक विपदा है।पूरी दुनिया के लिए।हमने इस महामारी का सामना पहले कभी नहीं किया।सरकार की आलोचना ज़रूरी है।उनपे तोहमत लगाइए।पर इससे जूझना हम सबकी भी ज़िम्मेदारी है।वैसे घबराइए मत।आएगा तो मोदी ही!! जय हो!🙏 https://t.co/YZPzY4sVJh
— Anupam Kher (@AnupamPKher) April 25, 2021
અહીં અનુપમ ખેરે ટ્વિટ કર્યું અને ગુસ્સે ભરાયેલા સોશ્યલ મીડિયા યુઝર્સે તેમને નિશાન બનાવવાનું શરૂ કર્યું. લોકોએ અનુપમ ખેરને જોરદાર ટ્રોલ કર્યો છે.
પત્ની માટે અમેરિકન ટીવી સિરીઝને કહ્યું અલવિદા
અનુપમ ખેરે અમેરિકન ટીવી ચેનલ એનબીસીની સિરીઝ ન્યૂ એમ્સ્ટરડેમને અત્યારે વિદાય આપી દીધો છે કારણ કે તે પત્ની કિરણ સાથે રહેવા માંગે છે જે આત્યારે બ્લડ કેન્સરથી પીડિત છે. તમને જણાવી દઈએ કે કિરણ ખેરને મલ્ટીપલ મિલોમા નામનો કેન્સર છે, જેની સારવાર આજકાલ મોટા ડોકટરોની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :- Bihar: કોરોના નાઇટ કર્ફ્યુમાં ઉડાવી ધજ્જીયા, ભોજપુરી અભિનેત્રી Akshra Singh લગાવ્યા ઠુમકા, અભિનેત્રી સહિત 200 સામે કેસ દાખલ
આ પણ વાંચો :- Hrithik Roshan બનશે આ ફિલ્મમાં ગેંગસ્ટર, પોલીસની વર્દીમાં જોવા મળશે સૈફ અલી ખાન