Alia Ranbir Wedding : લગ્ન પર માતા નીતુ કપૂરની પહેલી પ્રતિક્રિયા સામે આવી

Alia Bhatt Wedding : રણબીર આલિયાના બહુચર્ચિત લગ્ન પર માતા નીતુ કપૂરની (Neetu Kapoor) પહેલી પ્રતિક્રિયા આજે સામે આવી છે. તેમણે આ સ્ટાર કપલના લગ્નની તારીખ વિશે આ વાત જણાવી છે.

Alia Ranbir Wedding : લગ્ન પર માતા નીતુ કપૂરની પહેલી પ્રતિક્રિયા સામે આવી
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 11:27 PM

આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નને લઈને આખો પરિવાર ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છે. આ બંનેની મહેંદી સેરેમની પણ પૂરી થઈ ગઈ છે. આજે સવારે રણબીર કપૂરની માતા નીતુ કપૂર, (Neetu Kapoor) બહેન રિદ્ધિમા કપૂર સાહની તેમના ઘરેથી કારમાં જતી જોવા મળી હતી. નીતુ કપૂરે હાથ હલાવીને પાપારાઝીનું અભિવાદન કર્યું અને ત્યાંથી તેઑ મહેંદી સેરેમની માટે રવાના થયા હતા. આવતીકાલે એટલે કે 14 એપ્રિલે યોજાનારા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની તૈયારીઓમાં હવે આખો પરિવાર એકઠો થઈ ચૂકયો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ગઈકાલ સુધી તે બંનેના લગ્ન વિશે કંઈ ન બોલનાર નીતુ કપૂરે હવે પાપારાઝી સાથે બંનેના લગ્ન વિશે કેટલીક વાતો શેર કરી છે, જેમાં તેણે વેન્યુ પર લગ્નની તારીખ વિશે જણાવ્યું છે.

આલિયા રણબીર 14 એપ્રિલે લગ્ન કરશે

જ્યારે પાપારાઝીએ રણબીરના લગ્ન તેની માતા નીતુ કપૂરને પૂછ્યું કે, ‘તમારે ભાઉ (રણબીર) અને આલિયા વિશે કંઈક કહેવું જોઈએ? તમે આ લગ્નથી કેટલા ખુશ છો?’ તો નીતુ કપૂરે કહ્યું, ‘મારે શું કહેવું જોઈએ તે અંગે, જો કે, તેણી શ્રેષ્ઠ છે. બસ તેમને આશીર્વાદ આપો.’ ત્યારે તેમની દીકરી રિદ્ધિમા હસતાં હસતાં કહે છે, ‘તેની બહુ ક્યૂટ છે મેન, ખરેખર ખૂબ જ ક્યૂટ’. આ પછી, જ્યારે પાપારાઝીએ લગ્નની તારીખ અને સ્થળ વિશે પૂછ્યું તો નીતુ કપૂરે કહ્યું, ‘આ લગ્ન આવતીકાલે એટલે કે 14મી એપ્રિલે વાસ્તુ ખાતે થશે’. આટલું કહીને બંને ત્યાંથી ચાલ્યા ગયા.

આ લેટેસ્ટ વિડિયો અહીયા જુઓ

જો કે, રિપોર્ટ્સમાં એવું પણ સામે આવી રહ્યું છે કે આલિયા અને રણબીર 15 એપ્રિલે લગ્ન કરશે. બંને પંજાબી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે.  અંગ્રેજી ન્યૂઝ પેપર અનુસાર, રણબીર કપૂરનો વરઘોડો સવારે નીકળશે. આ શોભાયાત્રા કૃષ્ણ રાજના બંગલા થઈ વાસ્તુ પહોંચશે. રણબીરનો પરિવાર અને કેટલાક નજીકના મિત્રો આ વરઘોડાનો ભાગ હશે.

અંગ્રેજી ન્યૂઝ પેપર અનુસાર, કપૂર ખાનદાનની પરંપરા અનુસાર, કપૂર પરિવાર ‘કૃષ્ણ રાજ બંગલો’ થઈને ‘વાસ્તુ’ જશે. રણબીરના વરઘોડો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ઘરો વચ્ચેના તમામ રસ્તાઓ ચમકતી લાઈટોથી ઝગમગી ઉઠ્યા છે. અત્યારે પાલી હિલના વિસ્તારમાં તમામ વૃક્ષોને રોશનીથી સજાવવામાં આવ્યા છે.

બોલિવૂડના આ વર્ષના આ સૌથી મોટા લગ્ન છે, જે હવેથી થોડા કલાકો પછી થવા જઈ રહ્યા છે. પાલી હિલના વિસ્તારમાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની ખરાબ ઘટના ન બને. રણબીરનો આ વરઘોડો માત્ર 15-10 મિનિટ માટે હશે.

આજ રોજ યોજાયેલી મહેંદી સેરેમનીમાં રણબીર કપૂરની માતા નીતુ કપૂર, દીકરી રિદ્ધિમા કપૂર અને તેની દીકરી સમારા સાહની હાજર રહી હતી. આ સિવાય રીમા જૈન, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, કરણ જોહર, અયાન મુખર્જી, મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટે પણ આ સેરેમનીમાં ભાગ લીધો હતો.

પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો સામેલ થશે

આલિયા અને રણબીરના આ લગ્ન એક ઈન્ટિમેટ અફેર હશે, જેમાં પરિવારના સભ્યો સાથે માત્ર કેટલાક નજીકના મિત્રો જ સામેલ થશે. આ લગ્ન માટે મુંબઈ પોલીસ પાપારાઝીને નોટિસ જાહેર કરશે, જેમાં તેને સાવચેતી રાખવાની અને સરઘસના માર્ગમાં કોઈ અવરોધ ન આવે તેની વાત કરવામાં આવશે.

રણબીર અને આલિયાના લગ્ન અંગે તમારા શું વિચાર છે ?? નીચે અમારા ક્મેન્ટ બોક્સમાં જણાવશો ….

આ પણ વાંચો – Ranbir Alia Wedding : રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ માટે લગ્નની ભેટમાં નંબર 8નું છે કનેક્શન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">