akkineni nagarjuna : આમિર ખાન માટે યોજાયેલી ડિનર પાર્ટીમાં નાગાર્જુન ભાવુક થયો, જાણો કારણ
અક્કીના પરિવારની ડિનર પાર્ટીના ફોટામાં ચૈતન્યની પત્ની અને અભિનેત્રી સામંથા ક્યાંય દેખાતી નથી. કૌટુંબિક ડિનર પાર્ટીના ફોટામાં સામંથાને ન જોતા, ચૈતન્ય અને તેમના છૂટાછેડાના સમાચારો પર ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.
akkineni nagarjuna :જ્યારે આમિર ખાન (Aamir Khan)તાજેતરમાં જ તેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ (Laal Singh Chaddha)ના સહ-કલાકાર નાગા ચૈતન્ય(Naga Chaitanya)ની આગામી ફિલ્મ ‘લવ સ્ટોરી'(Love Story) ના પ્રમોશન માટે હૈદરાબાદ પહોંચ્યો હતો, ત્યારે તેને ભાગ્યે જ ખબર હતી કે તે પોતાની ફિલ્મ વિશે કેટલીક નાની વાતો શેર કરવાથી પોતાને રોકી શક્યો નહીં.
નાગ ચૈતન્ય(Naga Chaitanya) ની ફિલ્મ બરાબર 50 વર્ષ પહેલા તેના દાદા અક્કીનેની નાગેશ્વર રાવ(Akkineni Nageshwar Rao)ની ફિલ્મ પ્રેમ નગરની તારીખે રિલીઝ થઈ હતી. આમિર ખાને પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. અક્કીનેની પરિવાર માટે તે ખૂબ જ ભાવનાત્મક અને ગર્વની ક્ષણ હતી.
તે આશ્ચર્યજનક છે કે, ભાગ્યએ નાગ ચૈતન્યને તેના દાદાની ફિલ્મ સાથે જોડી દીધો. ચૈતન્યના પિતા અને નાગેશ્વર રાવ( Nageshwar Rao)ના પુત્ર નાગાર્જુન અને તેમના પરિવાર દ્વારા પ્રમોશનલ ઇવેન્ટ બાદ આમિર માટે ફેમિલી ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, નાગાર્જુન (Nagarjuna)ને સમજાયું કે, લાલ સિંહ ચઢ્ઢામાં તેમના પુત્ર દ્વારા ભજવવામાં આવેલ પાત્રને ‘બાલા રાજુ’ કહેવામાં આવે છે.
તે આશ્ચર્યજનક અને ભાવનાત્મક પણ હતો, કારણ કે, તે એક પ્રતિષ્ઠિત પાત્રનું નામ હતું, જે તેના પોતાના પિતા અક્કીનેની નાગેશ્વર રાવે 70 વર્ષ પહેલા આ જ નામની ફિલ્મ ‘બાલરાજુ’ (Balaraju)માં ભજવ્યું હતું.
અખિલ અક્કીનેની ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે
પરિવાર માટે આ ખાસ ક્ષણને ચિહ્નિત કરવા માટે, દરેક વ્યક્તિએ એક કેક કાપી, જેમાં લવ સ્ટોરી અને અખિલ અક્કીનેની એજન્ટ સાથે બે રિલીઝ જોવા મળી. બીજી બાજુ, આમિર ખાન (Aamir Khan)ની લાલ સિંહ ચઢ્ઢા મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે અને આ વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આમિર ખાન અને ચૈતન્ય ઉપરાંત કરીના કપૂર ખાન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અત્યારે અક્કીનેની પરિવારની ડિનર પાર્ટીની વાત કરીએ તો ચૈતન્યની પત્ની અને અભિનેત્રી સામંથા બહાર આવેલા ફોટામાં ક્યાંય દેખાતી નથી. ફોટામાં સામંથાને ન જોતા, ચૈતન્ય અને તેમના છૂટાછેડાના સમાચારો પર ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. જો કે, સામંથા કે ચૈતન્યએ તેમના અલગ થવાના સમાચાર પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ પણ વાંચો : ‘મિસ્ટર 56 ઇંચ ચીનથી ડર્યા’નાં નિવદેન પર આ કેન્દ્રિય પ્રધાને વાળ્યો જવાબ, કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટ ટાઇમ રાજકારણી