આદિવી શેષ ‘મેજર સંદીપ’ના જીવનથી ખૂબ પ્રભાવિત છે, કહ્યું મારામાં 1% તેમના જેટલી સામ્યતા આવી ચુકી છે

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર બનેલી ફિલ્મ 'મેજર' (Film Major) હવે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ બહુચર્ચિત ફિલ્મની લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે.

આદિવી શેષ 'મેજર સંદીપ'ના જીવનથી ખૂબ પ્રભાવિત છે, કહ્યું મારામાં 1% તેમના જેટલી સામ્યતા આવી ચુકી છે
Major Film Poster (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 10:49 AM

મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના (Major Sandeep) જીવન પર બનેલી ફિલ્મ ‘મેજર’ (Film Major) હવે ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ ગયા વર્ષે જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ-19ને (Covid-19) કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. આ ફિલ્મનું ટ્રેલર આગામી તા. 9 મેના રોજ રિલીઝ થવા જઈ રહ્યું છે. જેની માહિતી ફિલ્મના હીરો આદિવી શેષે પોતે ટ્વિટર પર શેર કરી હતી. જો કે, આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થાય તે પહેલા, આદિવી શેષ દિલ્હીમાં દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા અને તેમને ટ્રેલર બતાવ્યું હતું.

તેમણે એક ફોટોફ્રેમનું અનાવરણ પણ કર્યું હતું, જેના પર મેજર સંદીપનું સૂત્ર ‘જાન દૂંગા, દેશ નહીં’ લખેલું હતું. આ એક ખૂબ જ ખાસ ફિલ્મ બનવા જઈ રહી છે. તાજેતરમાં, ટીવી9 ભારતવર્ષ સાથે આદિવી શેષ અને શોભિતા રાણાએ આ ફિલ્મ વિશે ખાસ વાતચીત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
View this post on Instagram

A post shared by Sesh Adivi (@adivisesh)

આ પાત્ર ભજવ્યા પછી આદિવીના જીવનમાં ખાસ પરિવર્તન આવ્યું

આદિવી શેષે કહ્યું છે કે, ”અલબત્ત, મેજર સંદીપનું જીવન હંમેશા નિઃસ્વાર્થ જીવન રહ્યું છે. તેઓ બીજા વિશે પહેલા વિચારતા હતા, અને પછી પોતાના વિશે. તેમનું જીવન આપણને જણાવે છે કે તેઓ કેવા પ્રકારની વ્યક્તિ છે, અને તેઓ બીજા વિશે કેવું વિચારે છે. તેથી મેજર સંદીપની ભૂમિકા ભજવીને મને એક નિઃસ્વાર્થ વ્યક્તિ બનાવી દીધો છે. હું આજે પણ એક સામાન્ય વ્યક્તિ છું, તેથી કદાચ તેમની ભાવનાની એક ટકા અસર મારામાં આજે આવી ગઈ છે.

આદિવી શેષે આગળ કહ્યું કે, હું સાન ફ્રાન્સિસ્કોમાં મોટો થયો છું. મારી શકલ મેજર સંદીપ સાથે મળતી આવે છે, આવું મને ઘણા લોકોએ કહ્યું હતું.

View this post on Instagram

A post shared by Sesh Adivi (@adivisesh)

ફિલ્મના સેટ પર વાતાવરણ મજેદાર રહ્યું હતું

‘મેજર’ ફેમ અભિનેતા આગળ કહે છે કે, ”આ સંપૂર્ણપણે ગંભીર ફિલ્મ નથી. મને લાગે છે કે તેમણે ખૂબ જ મનોરંજક જીવન જીવ્યું છે. તેઓ હંમેશા ખૂબ જ ખુશ રહેતા હતા. તેમને ફિલ્મો ખુબ પસંદ હતી. તાજ હોટેલ મિશન 26/11 સમયે પણ તેઓ ખૂબ જ સકારાત્મક જણાતા હતા. તેથી હું તેમને ‘સૂર્ય પુત્ર’ તરીકે જોઉં છું, કારણ કે તેમણે હંમેશા અન્યને પ્રકાશ આપ્યો છે, ક્યારેય કોઈ અંધકાર આપ્યો નથી. આ કોઈ ડાર્ક ફિલ્મ નથી પણ ખૂબ જ બ્રાઈટ ફિલ્મ છે.”

દેશભક્તિ પર ઘણી ફિલ્મો બની રહી છે, ત્યારે દર્શકોએ આ ફિલ્મ કેમ જોવી જોઈએ ??

‘મેજર’ ફેમ સ્ટાર આગળ જણાવે છે કે, ”આજે દેશભક્તિ પર અનેક ફિલ્મો બની રહી છે, આ બિલકુલ સાચું છે પરંતુ આ કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી. મને લાગે છે કે આ ફિલ્મની પ્રામાણિકતા છે. હું આ ફિલ્મ તેલુગુમાં બનાવવાનો હતો પરંતુ અમે દરેક શોટ અને દરેક સીન હિન્દીમાં શૂટ કર્યા છે, કારણ કે અમારા નિર્માતા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ છે જેમણે અમને સલાહ આપી હતી કે આ ફિલ્મ બધા ભારતીયો માટે છે. આ ફિલ્મ ન તો તેલુગુ છે, ન હિન્દી, ન તો દેશભક્તિ માટે. માર્કેટિંગ માટે આમાંના કોઈપણ પરિબળોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.”

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">