કરીના કપૂર-અમૃતા અરોરા કોરોના પોઝિટિવ, કરણ જોહર સહિત અનેક સેલેબ્સ સાથે કરી હતી પાર્ટી, સુપર સ્પ્રેડર બનવાનો ભય
Kareena Kapoor, Amrita Arora COVID 19 Positive: BMCએ બંનેને કોરોના હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે, તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને RTPCR ટેસ્ટ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
ભારતમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor Khan) અને તેની મિત્ર અમૃતા અરોરાનો (Amrita Arora) કોવિડ ટેસ્ટ પોઝિટિવ (Covid test positive) આવ્યો છે. તપાસના પરિણામો બાદ બંનેએ પોતાને આઈસોલેટ કરી લીધા છે. હાલમાં જ કરીના કપૂર બહેન કરિશ્મા સાથે કરણ જોહરના (Karan Johar) ઘરે પાર્ટીમાં ગઈ હતી. ફિલ્મ કભી ખુશી કભી ગમના 20 વર્ષ પૂરા થવા પર કરણના ઘરે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે, અમૃતાએ મલાઈકા, કરિશ્મા, મસાબા, રિયા કપૂર સહિત તેના ઘણા મિત્રો સાથે પ્રી-ક્રિસમસ પાર્ટી કરી હતી. તેના સંપર્કમાં આવેલા તમામ લોકોએ સાવચેતી તરીકે પોતાને આઈસોલેટ કરી દીધા છે. BMCએ કરિના અને અમૃતાના સંપર્કમાં આવનાર દરેકને કોરોના ટેસ્ટ કરાવવા કહ્યું છે. કથિત રીતે, બોલિવૂડની આ બન્ને મોટી અભિનેત્રીઓ પર કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે.
ઘણા લોકો સાથે કરી હતી પાર્ટી કોરોનાના પહેલા અને બીજા મોજા દરમિયાન કરીના કપૂર ઘરની અંદર જ રહી હતી. આ દરમિયાન તેમના પુત્રનો પણ જન્મ થયો. ડિલિવરી પછી કરીના કામ પર પાછી ફરી અને પાર્ટીઓમાં પણ જોવા મળી હતી. અમૃતા અને મલાઈકા કરીનાની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. ગર્લ ગેંગ ઘણીવાર સાથે પાર્ટી કરે છે. 9 ડિસેમ્બરે અનિલ કપૂરની દીકરી રિયાના ઘરે બધાએ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. આજે 13મી ડિસેમ્બરે અમૃતા અને કરીનાના કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, BMCએ બંનેને કોરોના હોવાની પુષ્ટિ કરી છે. BMCને ડર છે કે આ બન્ને અભિનેત્રીઓ કોરોના સુપર સ્પ્રેડર સાબિત ના થાય. આથી, તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને RTPCR ટેસ્ટ કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આ બંને અભિનેત્રીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં હાજરી આપી છે, તેથી, BMCના આરોગ્ય વિભાગે આ બંને અભિનેત્રીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરાવવાનું શરૂ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે બંને અભિનેત્રીઓ સુપર સ્પ્રેડર બની શકે છે કારણ કે તેઓએ બોલીવુડની ઘણી પાર્ટીઓમાં હાજરી આપી છે. આ બંનેની સાથે આજે બોલિવૂડના વધુ કેટલાક કલાકારો અને અભિનેત્રીઓના કોરોના રિપોર્ટ આવવાના છે અને તેમાં બોલીવુડના કેટલાક મોટા સુપરસ્ટાર્સના નામ સામેલ થઈ શકે છે.
બોલિવૂડને કોરોનાથી નુકસાન થયું હતું બે વર્ષથી કોરોના વાયરસની ઝપેટમાં આવેલા મનોરંજન ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. મનોરંજનક્ષેત્રે મોટા નુકસાન બાદ હવે દેશના વિભિન્ન રાજ્યોમાં સિનેમાઘરો ખુલી ગયા છે અને બોક્સ ઓફિસે રાહતનો શ્વાસ લીધો છે. જો કે ઓમિક્રોનના કારણે ફરી એકવાર આખી દુનિયા કોરોનાની ઝપેટમાં આવી શકે છે. આવી સ્થિતિમાં, સરકાર દ્વારા આ ઓમિક્રોન વેરિઅન્ટ અને કોરોના દર્દીઓની વધતી સંખ્યા પર લગામ લગાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે કેટલાક કલાકારોની બેદરકારીથી મુંબઈમાં મનોરંજન જગતના સ્વાસ્થ્ય પર શું અસર થશે તે તો આવનારો સમય જ કહેશે ?
આ પણ વાંચોઃ