Aamir Khan Kiran Rao Divorce: છુટા પડયાના 24 કલાકમાં જ આમિર ખાન- કિરણ રાવ એકસાથે આવ્યા
તલાક થયાના ચોવીસ કલાકમાં જ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) એક સાથે સામે આવ્યા. બંને એક સાથે મળીને ફેસબુક લાઇવ થયા.
તલાક થયાના ચોવીસ કલાકમાં જ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao) એક સાથે સામે આવ્યા. બંને એક સાથે મળીને ફેસબુક લાઇવ થયા. પાની ફાઉન્ડેશન (Paani Foundation) દ્વારા આયોજિત કાર્યક્રમમાં બંનેએ ભાગ લીધો હતો અને બંનેએ મહારાષ્ટ્રના ખેડુતોને સોયાબીનના વાવેતરની ટીપ્સ જણાવી હતી. તેમના સંયુક્ત નિવેદનમાં બંનેએ જાહેરાત કરી છે કે છૂટાછેડા પછી પણ તેઓ ફિલ્મ્સ, પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં સાથે કામ કરવાનું ચાલુ રાખશે.
હકીકતમાં, પાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સોયાબીંનચી ડિજિટલ શેટી શાલા’ (સોયાબીનની ડિજિટલ ખેતીની પાઠશાળા) નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જ્યારે યોજાયો ત્યાં સુધીમાં, આમિર ખાન અને કિરણ રાવનાં તલાકની ઘોષણા કરે 24 કલાક પણ થયા ન હતા.
પાની ફાઉન્ડેશનના કાર્યક્રમમાં આમિર ખાન અને કિરણ રાવ એક સાથે આવ્યા
આમિર ખાન અને કિરણ રાવે ફેસબુક લાઇવની શરૂઆત કરી હતી. આ પછી, કાર્યક્રમમાં સત્યમેવ જયતે શોથી ખ્યાતિ મેળવનાર ડિરેક્ટર સત્યજીત ભટકલે કાર્યક્રમમાં પોતાનો ભાગ ભજવ્યો. તેમના સિવાય આ વિષયની જાણકારી કેટલાક જ્ઞાની લોકોએ કાર્યક્રમને આગળ વધાર્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં ડી.એલ.મોહિતે, ડો.આર.એસ.જાધવ, સવિતા તોડકર શામેલ થયા.
આમિર ખાન અને કિરણ રાવ છૂટા પડી ગયા છે
આ કાર્યક્રમ પૂર્વે આમિર ખાન અને કિરણ રાવ લગ્નના 15 વર્ષ પછી અલગ થઈ ગયા હતા. અભિનેતાએ એક નિવેદન બહાર પાડીને આ માહિતી આપી. અભિનેતાએ નિવેદનમાં લખ્યું છે, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એક સાથે મળીને જીવનભરના અનુભવો, આનંદ અને હાસ્ય શેર કર્યા છે અને અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માંગીએ છીએ – હવે પતિ-પત્ની તરીકે નહીં, પણ એકબીજાના માટે સહ-માતાપિતા અને પરિવાર તરીકે.
આ પણ વાંચો :- Love Story : ટીવીના રામ-સીતાની રિયલ લાઈફમાં પણ બની જોડી, એકવાર નહીં પરંતુ 2 વાર કર્યા બંનેએ લગ્ન
આ પણ વાંચો :- Fatima Sana Shaikh છે બ્રાહ્મણ પરિવારમાંથી, આમિર ખાન સાથે નામ જોડાવા પર આપ્યું હતું આ મોટું નિવેદન