2YearsOfKesari: Akshay Kumarએ આ સંવાદ સાંભળીને સાઈન કરી હતી ‘કેસરી’, 2 વર્ષ પછી ખોલ્યો રાજ
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાની કરિયરની શરૂઆત એક્શન અને રોમેન્ટિક ફિલ્મોથી કરી હતી. આ પછી તે કોમેડી તરફ વળ્યો અને તેમને દરેક ભૂમિકામાં પસંદ કરવામાં આવ્યા.
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાની કરિયરની શરૂઆત એક્શન અને રોમેન્ટિક ફિલ્મોથી કરી હતી. આ પછી તે કોમેડી તરફ વળ્યો અને તેમને દરેક ભૂમિકામાં પસંદ કરવામાં આવ્યા. થોડા સમય માટે અભિનેતા તેમની ભૂમિકાઓ સાથે એક્સપેરિમેન્ટ તો કર્યા છે સાથે પેટ્રોટિક ફિલ્મો પણ કરી રહ્યા છે. આ ફિલ્મોમાં પણ અભિનેતાને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો છે. તેમની ફિલ્મ કેસરીએ રિલીઝના બે વર્ષ પૂરા કર્યા છે. દેશના શુરવીરોની ગાથા ગાતી અક્ષયની આ ફિલ્મ સારી પસંદ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે તેમણે આ ફિલ્મ કેમ પસંદ કરી છે.
21 માર્ચ 2019ના રોજ બોલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ કેસરી (Kesari) રિલીઝ થઈ હતી. ફિલ્મના રિલીઝને હમણા 2 વર્ષ પુરા થયા છે, તેથી અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ફિલ્મ સંબંધિત એક પોસ્ટ મુકી હતી. આ સાથે પોસ્ટમાં અક્ષય કુમારે કહ્યું કે, એક લાઈન જ તેમના માટે ફિલ્મ સાઈન કરવા માટે પુરતી હતી.
10,000 invaders vs 21 Sikhs! This one line was enough for me to do the film, and what an absolute honour it was. Celebrating #2YearsOfKesari@ParineetiChopra @SinghAnurag79 @karanjohar @apoorvamehta18 @SunirKheterpal @DharmaMovies #CapeOfGoodFilms @iAmAzure @ZeeStudios_ pic.twitter.com/PWiTENdPVL
— Akshay Kumar (@akshaykumar) March 21, 2021
અક્ષય કુમારનું ટ્વીટ
અક્ષય કુમારે (Akshay Kumar) કેસરી (Kesari)ના બે વર્ષ પૂરા થવા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ફિલ્મની ઝલક દર્શાવવામાં આવી છે અને અભિનેતાએ તેના કેપ્શનમાં લખ્યું છે, ‘10,000 આક્રમણકારો સામે 21 શીખો! આ ફિલ્મ કરવા માટે આ એક લાઈન પૂરતી હતી. તે મારા માટે એક મહાન સન્માનની વાત હતી.
સાચી ઘટના પર આધારીત છે કેસરી
તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ કેસરીએ સાચી ઘટના પર આધારિત ફિલ્મ હતી. આ ફિલ્મમાં 21 શીખોની વીર વાર્તા છે, જેમાં તે બધા 10,000 અફઘાન સૈનિકોનો સામનો કરે છે. આ ફિલ્મમાં અક્ષય કુમારે હવાલદાર ઈશર સિંહની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં પરિણીતી ચોપરા (Parineeti Chopra) પણ હાજર હતી.
અક્ષયનો બોલિવૂડ ધમાકો
નોંધપાત્ર વાત એ છે કે અક્ષય કુમારે આ દિવસોમાં બોલીવુડમાં ધમાકો કર્યો છે. અક્ષય ટૂંક સમયમાં અનેક ફિલ્મોમાં જોવા મળશે, જેની શરુઆત રોહિત શેટ્ટી દિગ્દર્શિત સૂર્યવંશીથી થશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જ્યારે રણવીર અને અજયનો કેમિયો હશે. આ પછી અક્ષય ‘અતરંગી રે’, ‘બેલ બોટમ’, ‘પૃથ્વીરાજ’, ‘રક્ષાબંધન’, ‘બચ્ચન પાંડે’ અને ‘રામસેતુ’માં જોવા મળશે.
આ પણ વાંચો: Kangana Ranautએ Nasaની ભારતીય વૈજ્ઞાનિક બહેનોની કરી પ્રશંસા, ચાંદલા પર કહી આ વાત