પુલવામા હુમલા પર વિદ્યા બાલને આપી પ્રતિક્રિયા,હવે સમય આવી ગયો છે કે તમામ લોકો માટે દેશ સૌથી પહેલાં હોવો જોઇએ
પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલા પછી આખા દેશમાં લોકો પાકિસ્તાનની વિરૂધ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે. TV9 Gujarati ત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ એક મોટો નિર્ણય લેતા તેમની ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે તથા બોલિવુડમાં પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા માટે પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાની કલાકારોને લઈને કરેલ કાર્યવાહી […]
પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલ આતંકી હુમલા પછી આખા દેશમાં લોકો પાકિસ્તાનની વિરૂધ્ધ રોષ વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે.
ત્યારે હિન્દી ફિલ્મ ઉદ્યોગ એક મોટો નિર્ણય લેતા તેમની ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરવાનો નિર્ણય કર્યો છે તથા બોલિવુડમાં પાકિસ્તાની કલાકારોની સાથે કામ કરવા માટે પણ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાની કલાકારોને લઈને કરેલ કાર્યવાહી પર બોલિવુડની અભિનેત્રી વિદ્યા બાલને પ્રતિક્રિયા આપી છે. તેને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કડક પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો : આખરે કેમ રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચાલુ સંસદમાં ગળે મળ્યા હતા?, રાહુલે જ આપ્યો જવાબ
વિદ્યા બાલને પુલવામા આતંકી હુમલા પછી પાકિસ્તાની કલાકારોને બોલિવુડમાં પ્રતિબંધ પર કહ્યું કે મારું માનવું છે કે કળાને બધી જ સીમાઓ અને રાજનીતિથી દુર રાખવું જોઈએ, પણ મને લાગે છે કે હવે કડક પગલાં લેવા જોઈએ. વિદ્યા બાલને તેમના ડેબ્યૂ રેડિયો શો ‘ધુન બદલ કે તો દેખો’ના લોન્ચિંગ વખતે કહ્યું હતું.
લોકોને એક સાથે લાવવાનો એક માત્ર રસ્તો કળા સિવાય બીજો કોઈ નથી . તે સંગીત, કવિતા, નૃત્ય, રંગમંચ, સિનેમા કે કોઈ પણ કળા હોય. આપણાં માટે દેશ સૌથી પહેલા છે અને આપણે આપણાં દેશની જોડે ઊભા છીએ તથા હિન્દી ફિલ્મ ઉદ્યોગે નિર્ણય લીધો છે કે ફિલ્મો પાકિસ્તાનમાં રીલીઝ નહીં કરે.
[yop_poll id=1735]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]