જાણો બોલીવુડની કઈ અભિનેત્રી સાથે સુશાંત સિંહ આવ્યા હતા ચર્ચામાં?, અભિનેત્રીએ પણ કર્યો હતો આ ખુલાસો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે અને તેના લીધે એક શોકનું મોજું ફરી વળ્યું છે. બોલીવુડની દુનિયામાં પોતાના અભિનયની સુશાંત સિંહ રાજપૂત આગળ આવ્યા હતા. જો કે સુશાંત સિંહે રાજપૂતે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તેના વિશે કંઈપણ કહેવું એ યોગ્ય નથી રહે. જો કે પોલીસનું કહેવું છે કે સુશાંત સિંહ માનસિક તણાવ […]
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં આત્મહત્યા કરી લીધી છે અને તેના લીધે એક શોકનું મોજું ફરી વળ્યું છે. બોલીવુડની દુનિયામાં પોતાના અભિનયની સુશાંત સિંહ રાજપૂત આગળ આવ્યા હતા. જો કે સુશાંત સિંહે રાજપૂતે આત્મહત્યાનું પગલું કેમ ભર્યું તેના વિશે કંઈપણ કહેવું એ યોગ્ય નથી રહે. જો કે પોલીસનું કહેવું છે કે સુશાંત સિંહ માનસિક તણાવ એટલે કે ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ પણ કરાવી રહ્યાં હતા.
આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ કમાણી 250 રુપિયા હતી, જાણો તેમની જિંદગીના સંઘર્ષ વિશે
સુશાંત સિંહ અને રિયા ચક્રબર્તીના સંબંધો હતા ચર્ચામાં
છેલ્લાં કેટલાંક દિવસમાં સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી રિયા ચક્રબર્તી ચર્ચામાં આવ્યા હતા. ઘણી વખત તેઓ એકસાથે રજાઓ માણતા નજરે પડ્યા હતા. જ્યારે હવે સુશાંત આ દુનિયામાં નથી ત્યારે એ ચર્ચાએ પણ જોર પક્ડ્યું છે કે સુશાંત અને રિયાની વચ્ચે બધું યોગ્ય રીતે નહોતું ચાલી રહ્યું. જો કે રિયાએ સુશાંત સાથેના સંબંધોને લઈને ખુલ્લીને ક્યારેય વાત નથી કરી પણ રિપોર્ટસમાં માનવામાં આવે છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
રિયા ચક્રબર્તીએ સુશાંત સિંહ સાથેના સંબંધને લઈને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ સંબંધ ના તો સુશાંતે સ્વીકાર્યો છે કે અને ના તો મેં સ્વીકાર્યો છે. આથી આ સત્ય નથી. રિયાએ સુશાંતને એક સારો મિત્ર ગણાવ્યો હતો. રિયાએ જાણકારી આપી કે બંને લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને બંનેના મેનેજર પણ એક જ રહ્યાં હતા. આમ રિયા અને સુશાંત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી એવું પણ માનવામાં આવી રહ્યું છે.
સુશાંત સિંહ રાજપૂતએ આત્મહત્યા કરી તેની અંતિમ રાતે સુશાંતના ઘણાં મિત્રો પણ ઘરે આવ્યા હતા. સુશાંતને રાત્રે સૂવા માટે તેના રુમમાં લઈ ગયા હતા. જ્યારે સવારે સુશાંતે દરવાજો ના ખોલ્યો ત્યારે દરવાજાને તોડવામાં આવ્યો. સુશાંત ફાંસીના ફંદા પર લટકેલા જોવા મળ્યા હતા. પોલીસે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. જો કે એક વાત કહેવામાં આવી રહી છે ડિપ્રેશનના લીધે જ સુશાંતે આત્મહત્યા કરી છે. ડિપ્રેશન ક્યાં કારણે હતું તેના વિશે જાણી શકાયું નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]