West Bengal Election 2021 : મમતા બેનર્જી વિરુદ્ધ ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ ભર્યું ઉમેદવારી પત્ર
West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. Suvendu Adhikari એ આ બેઠક પર મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીનો મુકાબલો કરશે
West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. Suvendu Adhikari એ આ બેઠક પર મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીનો મુકાબલો કરશે મમતા બેનર્જીએ 10 માર્ચના રોજ પહેલા જ ઉમેદવારી નોંધાવી છે.આ પૂર્વે Suvendu Adhikari એ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સાથે હલ્દિયામાં એક રોડ શો યોજ્યો હતો.
Suvendu Adhikari એ ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે કહ્યું હતું કે મને ખૂબ જ વિશ્વાસ છે કે આ વખતે લોકો ભાજપને ટેકો આપશે અને બંગાળમાં વાસ્તવિક પરિવર્તન માટે ભાજપને લાવશે. ત્યાં કોઈ સ્પર્ધા કરવાનો પ્રશ્ન નથી. 2019 માં ભાજપે 18 લોકસભા બેઠકો જીતી હતી. આ વખતે અમે વિશાળ માર્જિન સાથે મજબૂત સરકાર બનાવીશું.
આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આગામી તારીખે બંગાળમાં કટ મની વિરુદ્ધ નિર્ણય લેશે. નંદીગ્રામમાં દીદી (મમતા) એ કહ્યું કે મેં અહીં લાકડીઓ ખાધી છે. દીદી હું 2006-2007 માં પણ નંદીગ્રામ આવ્યો હતો. તમે કોના ખભા પર બેઠા હતા? પહેલા લાકડીઓ કોણે ખાધી? સુવેન્દુ લાકડીઓ ખાનારા પહેલા વ્યક્તિ હતા.
એક સમયે તૃણમૂલ કોંગ્રેસમાં મોટી ભૂમિકા ભજવનાર સુવેન્દુ હવે મમતા બેનર્જીને હરાવવા મથી રહ્યા છે. મમતા બેનર્જીએ ભવાનીપુરને બદલે નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી અને ઉમેદવારી પત્ર પણ ભર્યું છે. સુવેન્દુ અધિકારીએ પડકાર આપ્યો હતો કે તેઓ 50 હજાર મતોથી મમતા બેનર્જીને પરાજિત કરશે.
પશ્ચિમ બંગાળની રાજકીય સ્થિતિ
બંગાળમાં હાલમાં તૃણમૂલ કોંગ્રેસની સરકાર છે અને મમતા બેનર્જી મુખ્યમંત્રી છે. ગત ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને 294 માંથી 211 બેઠકો જીતી હતી.કોંગ્રેસ 44 અને લેફ્ટને 26 બેઠક મળી હતી અને ભાજપે માત્ર ત્રણ બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે અપક્ષોએ દસ બેઠકો જીતી હતી. વિધાનસભામાં બહુમતી માટે તેને 148 બેઠકોની જરૂર છે.