West Bengal Election 2021 : TMC ઉમેદવાર સુજાતા મંડોલ પર હુમલો, ચૂંટણી પંચને કરી ફરિયાદ

ડાયમંડ હાર્બરમાં ભાજપના ઉમેદવાર દિપક હલાલદાર બાદ હવે અરમબાગમાં ટીએમસી ઉમેદવાર સુજાતા મંડોલ ઉપર લાકડીઓ વડે દોડવવાનો આરોપ છે

West Bengal Election 2021 : TMC ઉમેદવાર સુજાતા મંડોલ પર હુમલો, ચૂંટણી પંચને કરી ફરિયાદ
Sujata Mondol
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 06, 2021 | 4:37 PM

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના વિવિધ મતદાન મથકો પર છૂટાછવાયા હિંસાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ડાયમંડ હાર્બરમાં ભાજપના ઉમેદવાર દિપક હલાલદાર બાદ હવે અરમબાગમાં ટીએમસી ઉમેદવાર સુજાતા મંડોલ ઉપર લાકડીઓ વડે દોડવવાનો આરોપ છે. બીજી તરફ, ટીએમસીના અન્ય ઉમેદવાર નિર્મલ માંઝીને વિરોધના પગલે હેલ્મેટ પહેરીને આ વિસ્તારની બહાર નીકળવું પડ્યું હતું.

West Bengal election 2021

નિર્મલ માંઝીને વિરોધના પગલે હેલ્મેટ પહેરીને આ વિસ્તારની બહાર નીકળવું પડ્યું

આરોપ છે કે અરમબાગમાં ટીએમસીના ઉમેદવાર સુજાતા મંડળ પર હુમલો થયો છે. ટીએમસીનો આરોપ છે કે તેમના પર ઇંટો વડે હુમલો કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે કેટલાક લોકો માસ્કમાં આવ્યા હતા, જેમણે તેના પર હુમલો કર્યો હતો. સુજાતાએ જણાવ્યું હતું કે ગઈરાત્રે ભાજપના ગુંડાઓએ મહિલા મતદારોને ધમકાવી અને ત્રાસ આપ્યા હતા.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

સુજાતા માંડોલ ખાને કહ્યું કે ઘણી જગ્યાએ પરિસ્થિતિ બરાબર છે. પરંતુ જ્યાં અમે મજબુત છીએ ત્યાં પરિસ્થિતિ બરાબર નથી. બુથ નંબર 45 પર લોકોએ ટીએમસીને મત આપ્યા હતા પરંતુ મત બધા ભાજપમાં પડી રહ્યા હતા. અમારા કાર્યકર્તાઓને અરંડી- II માં માર મારવામાં આવ્યા છે તેમજ કેન્દ્રીય દળો પણ તટસ્થ નથી. તેઓ લોકોને ભાજપને મત આપવાનું કહી રહ્યા છે.

ટીએમસીએ ચૂંટણી પંચને કરી ફરિયાદ

ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ડેરેક ઓ બ્રાયને આરોપ લગાવ્યો કે આ હુમલામાં સુજાથા માંડોલના સુરક્ષા જવાનોને ઈજાઓ પહોંચી હતી. હુમલાઓ થઈ રહ્યા હતા ત્યારે તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તે સમયે, સેંટ્રલ ફોર્સના જવાનો મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈએ રહ્યા હતા. તેમણે ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું હતું કે, તમને ભાજપના ગુંડાઓને પકડવાનું કહેવામા આવે છે અને કોઈ પણ પ્રકારનું ભ્રષ્ટ આચરણ ન થાય તેમજ અમારા કાર્યકર્તાઓ અને સદસ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું કહેવામા આવે છે તેમજ ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય તેની ખાસ તકેદારી રાખવાં આવે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">