UP Election 2022: ગોરખપુરમાં ‘યોગી આદિત્યનાથ’ છે બીજેપીનું ટ્રમ્પ કાર્ડ, અન્ય સીટો પર ટક્કર
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે એટલે કે 3 માર્ચે મતદાન થવાનું છે. યુપીમાં 10 જિલ્લામાં મતદાન થવાનું છે. જેમાં ગોરખપુર પણ સામેલ છે. એવું માનવામાં આવે છે કે ભાજપનું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દબદબો પાર્ટીના ગઢ ગોરખપુરમાં ચાલુ રહેવાની શક્યતા છે.
UP Election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(Uttar Pradesh Assembly Election 2022)ના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે એટલે કે 3 માર્ચે મતદાન થવાનું છે. યુપીમાં 10 જિલ્લામાં મતદાન થવાનું છે. જેમાં ગોરખપુર(Gorakhpur) પણ સામેલ છે. એવું માનવામાં આવે છે કે ભાજપ(BJP)નું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વર્ચસ્વ પાર્ટીના ગઢ ગોરખપુરમાં ચાલુ રહેવાની શક્યતા છે. પરંતુ ભગવા બ્રિગેડને નવમાંથી અડધી બેઠકો પર સમાજવાદી પાર્ટી પાસેથી સખત મુકાબલો મળી શકે છે.
ANI અનુસાર, રસ્તા પહોળા કરવાના આધારે છેલ્લા ત્રણ વર્ષમાં ગોરખપુર શહેરના ઝડપી વિકાસથી મોટાભાગના રહેવાસીઓ ખુશ છે. આમાં ચોવીસ કલાક વીજળી, ઓછો અપરાધ ગ્રાફ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું નિર્માણ અને રૂ. 8,600 કરોડનો ખાતર પ્લાન્ટ તેમજ પ્રખ્યાત રામગઢ તાલનું બ્યુટીફિકેશન સામેલ છે. જો કે, બેરોજગારી અને મોંઘવારી મુખ્ય છે, જેના પર યુવાનો અને ચોક્કસ જૂથ શાસક ભાજપથી ખુશ નથી. કેટલીક સીટો પર સત્તા વિરોધી લહેર પણ એક મોટું કારણ છે.
ગોલઘર વિસ્તારના રહેવાસી એડવોકેટ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે યોગી સરકાર દ્વારા AIIMS અને ખાતરની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોને અપેક્ષા મુજબ રોજગારી મળી શકી નથી. આ દરમિયાન પાંડેએ ગોરખપુરના વિકાસ માટે સીએમ આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પહોળા રસ્તા, સારી વીજળી, રામગઢ તાલને પ્રવાસન કેન્દ્રમાં રૂપાંતરિત કરવું અને આવી ઘણી બાબતો ખરેખર મુખ્યમંત્રીનું પ્રશંસનીય કાર્ય છે.
વકીલ એવી પણ અપેક્ષા રાખે છે કે ભાજપ 2017 માં કરેલા તેના IT હબ અને ઔદ્યોગિક હબના વચનો પૂરા કરશે, જ્યારે ભાજપે ગોરખપુરમાં નવમાંથી આઠ વિધાનસભા બેઠકો જીતી હતી, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા હતા. યોગી આદિત્યનાથ ગોરખપુર જિલ્લામાં બીજેપીના સૌથી મોટા ટ્રમ્પ કાર્ડ છે અને તેઓ રહેવાસીઓમાં લોકપ્રિય છે.
ધર્મશાલા બજારના દુકાનદાર કન્હૈયાલાલ ગુપ્તાએ કહ્યું કે આ ચૂંટણીમાં મુદ્દા ઓછા છે કારણ કે બાબા (CM યોગી આદિત્યનાથ) દ્વારા રસ્તા, વીજળી, એઈમ્સ પહેલાથી જ આપવામાં આવી છે. ભાજપે અહીં સિક્સ લેન રોડ, કોલેજ અને મેડિકલ જેવા ઘણા કામ કર્યા છે. સાથે જ રાજેશ ગુપ્તાએ કહ્યું કે, મોદી અને યોગીનો ઝંડો લહેરાશે. ગોરખપુરના રસ્તાઓ, સ્વચ્છતા અને વિકાસ માટે ભાજપે ઘણું સારું કામ કર્યું છે. જે બચશે તે યોગી સરકાર આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરશે.