UP Election 2022: ગોરખપુરમાં ‘યોગી આદિત્યનાથ’ છે બીજેપીનું ટ્રમ્પ કાર્ડ, અન્ય સીટો પર ટક્કર

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે એટલે કે 3 માર્ચે મતદાન થવાનું છે. યુપીમાં 10 જિલ્લામાં મતદાન થવાનું છે. જેમાં ગોરખપુર પણ સામેલ છે. એવું માનવામાં આવે છે કે ભાજપનું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ અને રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દબદબો પાર્ટીના ગઢ ગોરખપુરમાં ચાલુ રહેવાની શક્યતા છે.

UP Election 2022: ગોરખપુરમાં 'યોગી આદિત્યનાથ' છે બીજેપીનું ટ્રમ્પ કાર્ડ, અન્ય સીટો પર ટક્કર
Yogi Aditya Nath
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 7:17 AM

UP Election 2022: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022(Uttar Pradesh Assembly Election 2022)ના છઠ્ઠા તબક્કા માટે આવતીકાલે એટલે કે 3 માર્ચે મતદાન થવાનું છે. યુપીમાં 10 જિલ્લામાં મતદાન થવાનું છે. જેમાં ગોરખપુર(Gorakhpur) પણ સામેલ છે. એવું માનવામાં આવે છે કે ભાજપ(BJP)નું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વર્ચસ્વ પાર્ટીના ગઢ ગોરખપુરમાં ચાલુ રહેવાની શક્યતા છે. પરંતુ ભગવા બ્રિગેડને નવમાંથી અડધી બેઠકો પર સમાજવાદી પાર્ટી પાસેથી સખત મુકાબલો મળી શકે છે.

ANI અનુસાર, રસ્તા પહોળા કરવાના આધારે છેલ્લા ત્રણ વર્ષમાં ગોરખપુર શહેરના ઝડપી વિકાસથી મોટાભાગના રહેવાસીઓ ખુશ છે. આમાં ચોવીસ કલાક વીજળી, ઓછો અપરાધ ગ્રાફ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું નિર્માણ અને રૂ. 8,600 કરોડનો ખાતર પ્લાન્ટ તેમજ પ્રખ્યાત રામગઢ તાલનું બ્યુટીફિકેશન સામેલ છે. જો કે, બેરોજગારી અને મોંઘવારી મુખ્ય છે, જેના પર યુવાનો અને ચોક્કસ જૂથ શાસક ભાજપથી ખુશ નથી. કેટલીક સીટો પર સત્તા વિરોધી લહેર પણ એક મોટું કારણ છે.

ગોલઘર વિસ્તારના રહેવાસી એડવોકેટ સુધાંશુ પાંડેએ જણાવ્યું કે યોગી સરકાર દ્વારા AIIMS અને ખાતરની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક લોકોને અપેક્ષા મુજબ રોજગારી મળી શકી નથી. આ દરમિયાન પાંડેએ ગોરખપુરના વિકાસ માટે સીએમ આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પહોળા રસ્તા, સારી વીજળી, રામગઢ તાલને પ્રવાસન કેન્દ્રમાં રૂપાંતરિત કરવું અને આવી ઘણી બાબતો ખરેખર મુખ્યમંત્રીનું પ્રશંસનીય કાર્ય છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વકીલ એવી પણ અપેક્ષા રાખે છે કે ભાજપ 2017 માં કરેલા તેના IT હબ અને ઔદ્યોગિક હબના વચનો પૂરા કરશે, જ્યારે ભાજપે ગોરખપુરમાં નવમાંથી આઠ વિધાનસભા બેઠકો જીતી હતી, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં તત્કાલીન સાંસદ યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા હતા. યોગી આદિત્યનાથ ગોરખપુર જિલ્લામાં બીજેપીના સૌથી મોટા ટ્રમ્પ કાર્ડ છે અને તેઓ રહેવાસીઓમાં લોકપ્રિય છે.

ધર્મશાલા બજારના દુકાનદાર કન્હૈયાલાલ ગુપ્તાએ કહ્યું કે આ ચૂંટણીમાં મુદ્દા ઓછા છે કારણ કે બાબા (CM યોગી આદિત્યનાથ) દ્વારા રસ્તા, વીજળી, એઈમ્સ પહેલાથી જ આપવામાં આવી છે. ભાજપે અહીં સિક્સ લેન રોડ, કોલેજ અને મેડિકલ જેવા ઘણા કામ કર્યા છે. સાથે જ રાજેશ ગુપ્તાએ કહ્યું કે, મોદી અને યોગીનો ઝંડો લહેરાશે. ગોરખપુરના રસ્તાઓ, સ્વચ્છતા અને વિકાસ માટે ભાજપે ઘણું સારું કામ કર્યું છે. જે બચશે તે યોગી સરકાર આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરશે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">