UP Assembly Election 2022: વર્ચ્યુઅલ રેલીમાં લોકોની ભીડ એકઠી કરી, ચૂંટણી પંચે સપાને ફટકારી નોટિસ

ચૂંટણી પંચે (Election Commission) આ મામલાની નોંધ લીધી છે અને પાર્ટી પાસેથી 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ વિવાદને કારણે સપાના 2500 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

UP Assembly Election 2022: વર્ચ્યુઅલ રેલીમાં લોકોની ભીડ એકઠી કરી, ચૂંટણી પંચે સપાને ફટકારી નોટિસ
Samajwadi Party Virtual Rally Lucknow
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2022 | 10:17 PM

UP Assembly Election 2022: કોરોના મહામારીને કારણે ચૂંટણીવાળા 5 રાજ્યોમાં હાલમાં રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ સમાજવાદી પાર્ટી (Samajwadi Party) એ તેના લખનૌ (Lucknow) કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રેલી (Virtual Rally) ના નામે ભારે ભીડ એકઠી કરી હતી. હવે ચૂંટણી પંચે (Election Commission) આ મામલાની નોંધ લીધી છે અને પાર્ટી પાસેથી 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો છે. આ વિવાદને કારણે સપાના 2500 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

આપને જણાવી દઈએ કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે અગાઉ ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી રેલીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે આજે તે પ્રતિબંધ 22મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. પરંતુ 14 જાન્યુઆરીએ એસપીએ જે કાર્યક્રમ કર્યો તેમાં કોરોના પ્રોટોકોલનો ભંગ કરવામાં આવ્યો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું.

આ કારણોસર, પહેલા ડીએમએ તપાસના આદેશ આપ્યા હતા અને પછી સપા કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે ચૂંટણી પંચે પણ એસપીને નોટિસ ફટકારી છે. જો 24 કલાકમાં જવાબ નહીં આપવામાં આવે તો કડક કાર્યવાહી થઈ શકે છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

જો કે, જે રેલીને લઈને આટલો બધો હંગામો મચ્યો છે તે યુપી ચૂંટણીના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તે કાર્યક્રમ દ્વારા OBC સમાજના મોટા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય (Swamy Prasad Maurya) સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા. તેમની સાથે ભાજપ (BJP) માંથી આવેલા અન્ય ઘણા ધારાસભ્યો-મંત્રીઓ પણ સપામાં જોડાયા હતા. આવી સ્થિતિમાં, ચૂંટણીની મોસમમાં પાર્ટી માટે નફો મોટો હતો, પરંતુ કોરોના પ્રોટોકોલ તૂટવાને કારણે મુશ્કેલી વધી ગઈ છે.

આયોગના સૂત્રોએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો, નેતાઓ, કાર્યકરો કે જનતાની કોઈપણ મનસ્વીતાને સાંખી લેવામાં આવશે નહીં. પંચે શુક્રવારે મળેલી બેઠકમાં નિરીક્ષકોને પણ દરેક જગ્યાએ નજર રખવાનું જણાવ્યું છે. આ વખતે પંચે વિડીયો ગ્રાફર્સ અને માઇક્રો ઓબ્ઝર્વરની સંખ્યામાં પણ વધારો કર્યો છે. આ સાથે, સામાન્ય જાગૃત નાગરિકને Cvigil મોબાઇલ એપનું સાધન પણ આપવામાં આવ્યું છે જેથી દરેક ખૂણા પર દેખરેખ રહી શકે.

આ પણ વાંચો: UP Assembly Election: ભાજપે 107 ઉમેદવારોમાંથી 60% ઓબીસી-એસસીને આપી ટિકિટ, જાણો જાતિનું ગણિત

આ પણ વાંચો: UP Assembly Elections: અયોધ્યા નહીં આ જગ્યાએથી ચૂંટણી લડશે સીએમ યોગી, સિરાથુથી કેશવ પ્રસાદ પર લગાવ્યો ભાજપે દાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">