ભાજપના સાંસદ રીટા બહુગુણાનો પુત્રમોહ, કહ્યુ દિકરાની ટિકિટ માટે સાંસદપદ છોડવા તૈયાર

કોંગ્રેસ છોડીને રીટા બહુગુણા ભાજપમાં જોડાઈ ગયા હતા. રીટા બહુગુણા કહે છે કે તેમનો પુત્ર છેલ્લા 12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને લોકો માટે કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પુત્ર મયંક જોશીને ટિકિટ મળવી જોઈએ.

ભાજપના સાંસદ રીટા બહુગુણાનો પુત્રમોહ, કહ્યુ દિકરાની ટિકિટ માટે સાંસદપદ છોડવા તૈયાર
BJP MP Rita Bahuguna Joshi (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 4:32 PM

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Election 2022) માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આવી સ્થિતિમાં પક્ષના નેતાઓની પાર્ટી બદલવાની પ્રક્રિયા સતત ચાલુ રહી છે. ભાજપના વરિષ્ઠ સાંસદ રીટા બહુગુણા જોશીનું (Rita Bahuguna Joshi) એક મોટું નિવેદન સામે આવ્યું છે. રીટા બહુગુણાએ કહ્યુ છે કે તેઓ ઈચ્છે છે કે તેમનો પુત્ર મયંક જોશીને (Mayank Joshi) લખનૌ કેન્ટની (Lucknow Kent) ટિકિટ મળે. તેમનું કહેવું છે કે પુત્રની ટિકિટ માટે તેઓ સાંસદ પદેથી રાજીનામું આપવા પણ તૈયાર છે.

તેમનું કહેવું છે કે આ અંગે તેમણે કેન્દ્રીય નેતૃત્વને પત્ર લખીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. રીટા બહુગુણાએ એવુ કહ્યુ છે કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે જો વર્તમાન સાંસદના પુત્રને ટિકિટ આપવામાં કોઈ સમસ્યા હોય તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. લખનૌ કેન્ટ સીટને લઈને ભાજપમાં ઘણા દાવેદારો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રીટા બહુગુણા જોશી ભાજપના સાંસદ છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. રીટા કહે છે કે તેનો પુત્ર છેલ્લા 12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે અને લોકો માટે કામ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમના પુત્ર મયંક જોશીને ટિકિટ મળવી જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઘણા નેતાઓએ તેમના પુત્ર માટે માંગી છે ટિકિટ  રીટા બહુગુણા સિવાય બીજેપી સાંસદ જગદંબિકા પાલ, કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના નામ પણ બીજેપીમાં તેમના પુત્રો માટે ટિકિટ માંગનારની યાદીમાં સામેલ છે. આ તમામે વિધાનસભા ચૂંટણી માટે તેમના પુત્રો માટે ટિકિટની માંગણી કરી છે.

રીટા કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે રીટા બહુગુણા જોશી અગાઉ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી હતા. વર્ષ 2019માં પાર્ટીએ તેમને અલ્હાબાદ સંસદીય સીટ પરથી ટિકિટ આપી હતી. વિજયી થતાં તેમણે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂકેલા ડો.જોશી મેયર પણ રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ

ભગવંત માન પંજાબમાં AAPના મુખ્ય પ્રધાનપદનો ચહેરો હશે, અરવિંદ કેજરીવાલે લોકોના સૂચનો પછી કરી જાહેરાત

આ પણ વાંચોઃ

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિની પુત્રવધૂ સાડી પહેરીને ટેનિસ રમતી, 42 વર્ષની ઉંમરે ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">