West Bengalમાં ભાજપની પ્રચાર વાન તોડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 5 આરોપીની ધરપકડ
ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં આચારસંહિતા લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે.
ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં આચારસંહિતા લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહીના મૂડમાં આવી ગઈ છે. કોલકાતા પોલીસે ભાજપની પબ્લિસિટી વેનમાં તોડફોડના કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. આ પાંચ સામે બિનજામીનપાત્ર ગુનાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી
ભાજપે આક્ષેપ કર્યો છે કે ટીએમસીના ગુંડાઓએ કડાપારાના વેરહાઉસમાં ઘૂસીને પ્રચાર વેન તોડી અને કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી હતી. આરોપ હતો કે વાહનોમાં લગાવવામાં આવેલ એલઈડી ટીવીમાં તોડફોડ કરવામાં આવી છે. ભાજપે આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી.
કૈલાસ વિજયવર્ગીયે વીડિયો ટ્વીટ કર્યો હતો
આ હુમલા બાદ બંગાળ ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ (Kailash Vijayvargiya) આ ઘટનાનો એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું હતું, ‘આજે ચૂંટણી પંચે બંગાળની ચૂંટણીની તારીખ જાહેર કરી અને તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓએ રાત્રે 11 વાગ્યે ભાજપના કડાપારાના ગોડાઉનમાં ઘૂસીને LED ગાડીઓ તોડી હતી. એલઈડી પણ લઈ ગયા. કદાચ ગુંડાઓએ ચૂંટણી પંચને પડકાર ફેંક્યો છે.
બંગાળમાં 8 તબક્કામાં વિધાનસભાની ચૂંટણી
તોડફોડની ઘટના બાદ ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યએ પણ સ્થળની મુલાકાત લીધી હતી. ચૂંટણી પંચે પશ્ચિમબંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ 27 ફેબ્રુઆરીએ જાહેર કરી હતી. બંગાળની 294 બેઠકો પર 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. આટલા તબક્કામાં ચૂંટણીઓ યોજવાનો હેતુ રાજ્યમાં હિંસાની ઘટનાઓને અંકુશમાં લેવાનો છે.
આચારસંહિતા લાગુ થતાંની સાથે જ ચૂંટણી પંચ બને છે સુપ્રીમ
જણાવી દઈએ કે રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થતાંની સાથે જ કાયદો અને વ્યવસ્થા ચૂંટણી પંચના હાથમાં જાય છે. તેની સુવિધા અનુસાર ચૂંટણી પંચ પોલીસ-વહીવટ અધિકારીઓમાં ફેરફાર કરે છે. તે જ સમયે રાજ્યની મશીનરી પણ રાજકીય દબાણથી મુક્ત હોય છે અને સીધા ચૂંટણી પંચને અહેવાલ આપે છે. પશ્ચિમ બંગાળ, કેરળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીમાં આ સમયે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
આ પણ વાંચો: MAHARASHTRA: ઉદ્ધવ ઠાકરેની મહાવિકાસ અઘાડી સરકારમાંથી વનપ્રધાન સંજય રાઠોડનું રાજીનામું