PM મોદીએ આસામમાં કહ્યું: કોંગ્રેસનો ખજાનો ખાલી, ભરવા માટે કોઈ પણ રીતે સત્તામાં આવવા માંગે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. આ રેલીમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસને ઘેરી લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં એક ચૂંટણી સભાને સંબોધી હતી. આસામના બોકાખાટમાં રેલીનું સંબોધન કરતાં તેમણે કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ડબલ એન્જિન સરકાર રચવાની તૈયારી છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે રાજ્યમાં ફરી એકવાર ભાજપ સરકાર બનશે, એનડીએ સરકાર ફરીથી સત્તામાં આવશે. આ સાથે જ પીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસના ખજાના હવે ખાલી થઇ ગયા છે. અને તેને ભરવા માટે તે ગમે તે ભોગે સત્તા પર આવવા માંગે છે.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર
રેલીને સંબોધતા પીએમએ કહ્યું કે 50 થી વધુ વર્ષોથી આસામ પર શાસન કરનારા લોકો હવે આસામને પાંચ ગેરંટી આપી રહ્યા છે. આસામના લોકો તેમના ઈરાદાથી વાકેફ છે. આ લોકોને ખોટા વચનો આપવાની, ખોટી ઘોષણા કરવાની ટેવ પડી ગઈ છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસનો અર્થ ખોટા ઘોષણાપત્રની ગેરંટી, કન્ફયુઝનની ગેરંટી, અસ્થિરતાની ગેરંટી, બોમ્બ, બંદૂકો અને નાકાબંધીની ગેરંટી, હિંસા અને અલગાવવાદની ગેરંટી, ભ્રષ્ટાચાર અને કૌભાંડોની ગેરંટી.
કોંગ્રેસને ખજાનો ભરવા કોઈપણ કિંમતે સત્તા જોઈએ છે
વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્ર સાથે આગળ વધી રહી છે. પરંતુ આજના કોંગ્રેસ નેતાઓને માત્ર સત્તાથી મતલબ છે, પછી ભલે તે ગમેતે રીતે મળે. હકીકતમાં કોંગ્રેસની તિજોરી હવે ખાલી થઇ ગઈ છે, તેને ભરવા માટે તેમને કોઈપણ કિંમતે સત્તા જોઈએ છે.
હવે કોઈ કોંગ્રેસ પર વિશ્વાસ નથી કરતુ
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ પોતાને સેક્યુલર ગણાવે છે પરંતુ આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં સંપ્રદાયો પર આધારીત પક્ષોની મિત્રતા કરે છે. તેઓ સત્તા સામે કશું જોતા નથી. એટલા માટે દેશમાં કોઈ પણ હવે કોંગ્રેસના લોકોની વાત પર વિશ્વાસ કરી રહ્યું નથી.
આસામ સરકાર ચા મજૂરોના દૈનિક વેતન વધારવા માટે ગંભીર છે
પીએમ મોદીએ કહ્યું કે એનડીએ ચા જનજાતિના સાથીદારો અને આ જનજાતિમાંથી નીકળતી મહાન વ્યક્તિત્વને ગૌરવ અને આત્મ-સન્માનપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે. ચા બગીચામાં કામ કરતા મજૂરોના દૈનિક વેતન વધારવાની વાત પર આસામ સરકાર પણ ખૂબ ગંભીર છે.