Manipur Election 2022: મણિપુરમાં આવતીકાલે 22 વિધાનસભા બેઠકો માટે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થશે

પહેલા તબક્કામાં 5 રાજ્યોમાંથી મણિપુર (Manipur) માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને હવે બીજા તબક્કામાં આવતીકાલે એટલે કે 5 માર્ચે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Manipur Election 2022: મણિપુરમાં આવતીકાલે 22 વિધાનસભા બેઠકો માટે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન થશે
Voting - Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 5:24 PM

દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી (Assembly Election) હવે સમાપ્ત થવાના માર્ગે છે. પહેલા તબક્કામાં 5 રાજ્યોમાંથી મણિપુર (Manipur) માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને હવે બીજા તબક્કામાં આવતીકાલે એટલે કે 5 માર્ચે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ તબક્કામાં 22 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં બે મહિલા ઉમેદવારો સહિત કુલ 92 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની કુલ 60 બેઠકોમાંથી 38 બેઠકો પર સોમવારે મતદાન થયું હતું. તેના પરિણામો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવાની વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે 10 માર્ચે જાહેર કરવામાં આવશે. 28 ફેબ્રુઆરીના રોજ, મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, બિષ્ણુપુર, કાંગપોકપી અને ચુરાચંદપુરના પાંચ ચૂંટણી જિલ્લાઓમાં 38 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 78.09 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં નેશનલ પીપલ્સ પાર્ટી અને નાગા પીપલ્સ ફ્રન્ટને ચાર-ચાર અને એલજેપી, ટીએમસીને એક-એક સીટ મળી હતી. સૈકુલ અને સૈતુ મતવિસ્તારમાં કેટલાક મતદાન મથકો પર બૂથ કેપ્ચરિંગ, ઇવીએમનો નાશ, બોગસ મતદાન અને હિંસાના કિસ્સા નોંધાયા છે. પુનઃ મતદાન માટે કુલ 23 મતદાન મથકોના નામ સીઈઓને સોંપવામાં આવ્યા હતા.

મતદાનમાં 208 ટ્રાન્સજેન્ડર મતદારો પણ સામેલ હતા

કુલ મતદારોમાં ટ્રાન્સજેન્ડર મતદારોની સંખ્યા 208, વિકલાંગ મતદારોની સંખ્યા 14 હજાર 565, જ્યારે 80 વર્ષથી વધુ વયના મતદારોની સંખ્યા 41,867 છે. રાજ્યમાં કુલ મતદાન મથકોની સંખ્યા 2959 છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 1099 મતદાન મથકોને સંવેદનશીલ અને મહત્વપૂર્ણ તરીકે ઓળખવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

છેલ્લી ચૂંટણીનું ગણિત

મણિપુરની 60 બેઠકોની રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ પહેલા રાજ્યમાં સરકાર બનાવવી પડશે. 2017ની મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 28 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. જ્યારે ભાજપને 21 બેઠકો મળી હતી. 2017ની ચૂંટણીમાં, કોંગ્રેસ મણિપુરમાં 28 બેઠકો સાથે બહુમતીથી માત્ર ત્રણ બેઠકો દૂર હતી.

આ હોવા છતાં, તે સત્તાથી દૂર રહ્યા હતા. 21 બેઠકો જીત્યા પછી, ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી (4), નાગા પીપલ્સ ફ્રન્ટ (4), એલજેપી (1) અને અન્ય બે ધારાસભ્યોના સમર્થન સાથે મણિપુરમાં સરકાર બનાવી. ભાજપના એન બિરેન સિંહ રાજ્યમાં મુખ્યમંત્રી બન્યા.

આ પણ વાંચો : Maharashtra: અનિલ દેશમુખનું નિવેદન નોંધવા જેલ પહોંચી CBI ટીમ, પૂર્વ ગૃહમંત્રીની વધી શકે છે મુશ્કેલી

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના કોલનો આનંદ મહિન્દ્રાએ આપ્યો જવાબ, દેશમાં બની શકે છે મેડિકલ કોલેજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">