Kerala Assembly elections 2021 : મંગળવારથી બે દિવસના કેરળ પ્રવાસે જશે પ્રિયંકા ગાંધી, યોજશે રોડ શો અને મિટિંગો
કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi 6 એપ્રિલના રોજ કેરળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે બે દિવસીય પ્રવાસ માટે મંગળવારે કેરળ જશે. પ્રિયંકા ગાંધી દક્ષિણ ભારતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પ્રચાર કરશે.
કોંગ્રેસ મહાસચિવ Priyanka Gandhi 6 એપ્રિલના રોજ કેરળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે બે દિવસીય પ્રવાસ માટે મંગળવારે કેરળ જશે. પ્રિયંકા ગાંધી દક્ષિણ ભારતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પ્રચાર કરશે. આ પહેલા લોકસભાની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કર્યો હતો.
પ્રિયંકા ગાંધી 30 માર્ચે ત્રિવેન્દ્રમ અને કોલ્લમ અને 31 માર્ચે થ્રિસુરમાં પ્રચાર કરશે
Priyanka Gandhi 30 માર્ચે ત્રિવેન્દ્રમ અને કોલ્લમ અને 31 માર્ચે થ્રિસુરમાં પ્રચાર કરશે. આ દરમિયાન તેવો રોડ શો અને જાહેર સભાઓ યોજશે. પ્રિયંકા ગાંધી ત્રિશૂરમાં એક રોડ શો કરશે. કોંગ્રેસ નેતા પ્રોફેસર રાજીવ ગૌડાએ કહ્યું કે રાહુલ ગાંધી પહેલાથી જ પ્રચાર કરી રહ્યા છે અને હવે જ્યારે Priyanka Gandhi આવશે ત્યારે આપણી પાસે વધારે શકિત હશે અને દક્ષિણમાં કોંગ્રેસનું પુનરુત્થાન થશે.
કોંગ્રેસ પાર્ટીએ વધુમાં વધુ યુવાનોને ચૂંટણી લડવાની તક આપી
કેરળમાં રાહુલ ગાંધી ધૂઆંધાર અભિયાન ચલાવી રહ્યા છે. વિશેષ વાત એ છે કે જે લોકો માટે તેઓ પ્રચાર કરી રહ્યા છે તે કોંગ્રેસના યુવા નેતાઓ છે જેમણે સૌ પ્રથમવાર ભાગ્ય અજમાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં રોજગારીના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.આની સાથે લોકોને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ યુવાનોને ચૂંટણી લડવાની તક આપી રહી છે.
6 એપ્રિલે કેરળ વિધાનસભાની 140 બેઠકો પર ચૂંટણી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળ ચૂંટણી પ્રચાર દરમિયાન વધુ એક વાતનું પુનરાવર્તન કરી રહ્યા છે અને તે તે છે કે આ વખતે તેમણે 55 ટકા યુવાનોને ટિકિટ આપી છે. કેરળની સૌથી યુવા ઉમેદવાર દૂધનો વ્યવસાય કરતાં 27 વર્ષિય અરિતા બાબુને ટિકિટ આપવામાં આવી છે. 6 એપ્રિલે કેરળ વિધાનસભાની 140 બેઠકો પર ચૂંટણી યોજવવાની છે.
કોંગ્રેસના મજબુત નેતા P CChacoએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
ઉલ્લેખનીય છે કે, કેરળમાં ચુંટણી પૂર્વે કેરળ કોંગ્રેસના મજબુત નેતા P CChacoએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું . રાજીનામામાં તેમણે પાર્ટીમાં જૂથવાદનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે પાર્ટીની અંદર જૂથવાદનું વર્ચસ્વ છે. તેની સામે ઘણી વખત ઉભા થયા. પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. કેરળ કોંગ્રેસમાં બાબતો બરાબર નથી તે સ્વતંત્ર રીતે કામ કરી શકતા નથી.