હવે ક્ષત્રિય સમાજ મેદાને, સાબરકાંઠામાં રેલી યોજી કરણી સેનાએ ક્ષત્રિયોને 55 બેઠક પર ટિકિટ આપવાની કરી માગ

Gujarat Election:વિધાનસભા ચૂંટણીમાં એક બાદ સમાજ ટિકિટની માગ કરી રહ્યો છે. તેમા હવે કરણી સેનાએ પણ ક્ષત્રિય સમાજનું જ્યાં જ્યાં પ્રભુત્વ હોય ત્યા ટિકિટની માગ કરી છે. સાબરકાંઠામાં કરણીસેનાએ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ અને 55 બેઠકો પર ક્ષત્રિયોને લડાવવાની વાત કરી છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 9:19 PM

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ જ્ઞાતિ આધારિત રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. એક બાદ એક સમાજ અને જાતિઓ પોતાના માટે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ કરી રહી છે. જેમાં OBC સમાજ, કોળી સમાજ, પાટીદાર સમાજ બાદ હવે કરણી સેનાએ ક્ષત્રિય સમાજને ટિકિટ આપવાની માગ કરી છે. સાબરકાંઠા(Sabarkatha)માં કરણી સેનાએ એક વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. આ રેલી બાદ કરણી સેના(Karani Sena)ના પ્રમુખ રાજ શેખાવતે જણાવ્યુ કે ક્ષત્રિય સમાજ રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યો છે. તેમણે કહ્યુ અમે સર્વે કરાવ્યો છે. રાજ્યમાં 55 બેઠક પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે અને આ તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજને ટિકિટ મળે તેવી અમારી માગ છે. આ સાથે રાજ શેખાવતે (Raj Shekhavat) ઉમેર્યુ કે જે પક્ષ અમને ટિકિટ આપશે તેમને અમારુ સમર્થન રહેશે.

જે પાર્ટી ટિકિટ આપશે તેમને સમાજનું ખુલ્લુ સમર્થન રહેશે- રાજ શેખાવત

રાજ શેખાવતે વધુમાં જણાવ્યુ હતુ કે જો ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં મળે તો તેઓ અપક્ષમાંથી ઉમેદવારો ઉભા રાખશે. રાજ શેખાવતે સ્પષ્ટ કર્યુ છે કે જે પાર્ટી તેમને ટિકિટ આપશે તેને સમાજનું ખુલ્લુ સમર્થન રહેશે. ક્ષત્રિય સમાજે 55 બેઠકોની માગ કરી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

થોડા દિવસ અગાઉ ભાવનગરમાં પણ ક્ષત્રિય સમાજની યોજાઈ હતી ચિંતન શિબિર

આ અગાઉ ભાવનગરમાં પણ આાગામી ચૂંટણીને અનુલક્ષીને ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ જોતા ભાજપ, કોંગ્રેસ અને આપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી છે. બેઠકમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર જોવા મળ્યો કે જો ક્ષત્રિય સમાજને ટિકિટ નહીં મળે તો જેમ ક્ષત્રિય સમાજ અન્ય ઉમેદવારોને જીતાડી શકે છે તેમ અમે હરાવી પણ શકે છે.

સિદસર ઉમિયાધામના જેરામ પટેલે પાટીદારો માટે માગી હતી ટિકિટ

આ અગાઉ જામનગર સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ પટેલે પણ પાટીદારો માટે ચૂંટણીમાં 50 ટિકિટની માગ કરી હતી. તેમણે પાટીદારોના પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારોને ટિકિટ આપવાની વાત કરી હતી. એ પહેલા કોળી સમાજ પણ તેમના ઉમેદવારને પ્રભુત્વ આપવાની માગ કરી ચુક્યો છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">