Poll: હાર્દિક પટેલે રાજનીતિ છોડી દેવી જોઇએ કે નહીં, જાણો લોકોએ શું કહ્યું?
Hardik Patel resigns from Congress: 24 એપ્રિલના રોજ TV9 દ્વારા લોકોને હાર્દિક પટેલે આગળ શું કરવું જોઇએ તે અંગેના સવાલ પુછવામાં આવ્યા હતા જેમાં 59 ટકા લોકોએ રાજકારણ છોડી દેવાની સલાહ આપી હતી.
હાર્દિક પટેલે કાંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ સાથે કોંગ્રેસના ટોચના નેતૃત્વ પર ગંભીર પ્રકારના આરોપ મૂક્યા છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે હાર્દિક પટેલ આગળ શું કરશે, શું તે ભાજપ કે અન્ય કોઈ પક્ષમાં જોડાશે? આ બધી અટકળો વચ્ચે લોકોનું શું માનવું છે તે જોઈએ. હાર્દિકે જ્યારે પહેલી વખત કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી ત્યારે 23 એપ્રિલના રોજ TV9 દ્વારા લોકોને હાર્દિક પટેલે આગળ શું કરવું જોઇએ તે અંગેના સવાલ પુછવામાં આવ્યા હતા જેમાં 59 ટકા લોકોએ રાજકારણ છોડી દેવાની સલાહ આપી હતી.
TV9 દ્વારા 23 એપ્રિલના રોજ ફેસબુક પર કરવામાં આવેલા પોલમાં 58.12 ટકા લોકોએ એમ કહ્યું હતું કે હાર્દિકે રાજનીતિ છોડી દેવી જોઇએ, જ્યારે 27.78 ટકા લોકોએ કહ્યું હતું કે તેણે કોંગ્રેસમાં જ રહેવું જોઇએ જ્યારે માત્ર 11.15 ટકા લોકોએ કહ્યું હતું કે હાર્દિકે ભાજપમાં જોડાવું જોઈએ.
ટ્વીટર પર કરવામાં આવેલા પોલમાં 59.9 ટકા લોકોએ એમ કહ્યું હતું કે હાર્દિકે રાજનીતિ છોડી દેવી જોઇએ, જ્યારે 20 ટકા લોકોએ કહ્યું હતું કે તેણે કોંગ્રેસમાં જ રહેવું જોઇએ જ્યારે માત્ર 12.7 ટકા લોકોએ કહ્યું હતું કે હાર્દિકે ભાજપમાં જોડાવું જોઈએ.
હવે જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે આજે ફરીથી આ જ પોલ લોકો સમક્ષ મુક્યો છે. નીચે આપવામાં આવેલી લિંક પરત ક્લિક કરીને લોકો પોતાનો મત રજુ કરી શકે છે.
હાર્દિક પટેલે ભાજપમાં જોડાવું જોઈએ કે નહીં?#HardikPatel #HardikPatelResigns #Gujarat #Politics #GujaratElections #GujaratPolitics #TV9GujaratiPoll #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) May 18, 2022