Gujarat Election 2022: ક્યાંક સમાજને સાચવવાની તો ક્યાંક ઉમેદવારોને પંપાળવાની પળોજણ, પક્ષે પક્ષે મતિભિન્નાના માહોલ વચ્ચે આ છે રાજકારણની ‘અંદરનીવાત’
2017 માં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાજપ 2022 ની ચૂંટણી (Gujarat Election 2022)પહેલા તમામ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી રહ્યું છે સૌરાષ્ટ્રમાં પાટીદાર, ઓબીસી ,કોળી અને જૈન સમાજને ટિકિટ આપ્યા બાદ સથવારા સમાજને ટિકિટ ન મળી હોવાનો ખેદ હતો સથવારા સમાજ સૌરાષ્ટ્રની 11 વિધાનસભા સીટ પર વર્ચસ્વ ધરાવે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરજોશમાં જામી છે જો કે આ વખતે ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા સમીકરણો ભાજપમાં જોવા મળી રહ્યા છે ટિકિટ ન મળવાને કારણે ભાજપમાં આંતરિક કલેહ તો છે પરંતુ તેની સાથે સાથે ભાજપે જાહેર કરેલા ઉમેદવારને પણ બદલવાની નોબક આવી છે વાત છે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકની આ બેઠકમાં ભાજપે પહેલા જીજ્ઞા પટેલ નું નામ જાહેર કર્યું હતું જો કે ત્યારબાદ ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ આ બેઠક પરથી જગદીશ મકવાણાનું નામ જાહેર કર્યું છે રાજકીય વિશ્લેષકોની ચર્ચા છે કે ભાજપે આ નામ જાતિગત સમીકરણને આધારે ફરજિયાત પણે બદલાવું પડ્યું છે..
સૌરાષ્ટ્રમાં સથવારા સમાજને સાથે લઈને ચાલવાની ફરજ ?
2017 માં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાજપ 2022 ની ચૂંટણી પહેલા તમામ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી રહ્યું છે સૌરાષ્ટ્રમાં પાટીદાર, ઓબીસી ,કોળી અને જૈન સમાજને ટિકિટ આપ્યા બાદ સથવારા સમાજને ટિકિટ ન મળી હોવાનો ખેદ હતો સથવારા સમાજ સૌરાષ્ટ્રની 11 વિધાનસભા સીટ પર વર્ચસ્વ ધરાવે છે જેના કારણે સથવારા સમાજ નારાજ ન થાય તે માટે ભાજપ એ આ દાવ ખીલ્યું હોવાનું સામે આવ્યું છે.
કઈ કઈ બેઠક પર સથવારા સમાજનું વર્ચસ્વ ?
ખંભાળિયા 48000
દ્વારકા 36000
જામનગર ગ્રામ્ય 35,000
જામનગર ઉત્તર 15000
જામજોધપુર 11000
મોરબી 31,000
ધાંગધ્રા હળવદ 75000
વઢવાણ 24000
લીંબડી 26,000
ધંધુકા 23,000
બોટાદ 21,000
શું ખંભાળિયા અને જામનગર ગ્રામ્ય બેઠક માટે મોટો દાવ?
ભાજપે સથવારા સમાજને ટિકિટ આપીને સૌરાષ્ટ્રની 11 બેઠકોને અંકે કરવાનો માસ્ટર પ્લાન તો બનાવ્યો પરંતુ તેની સાથે સાથે જામખંભાળિયા બેઠક અને જામનગર ગ્રામ્ય બેઠકને અંકે કરવાનો મોટો દાવ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે જામખંભાળિયા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ ચુંટણી લડી રહ્યા છે તો આમ આદમી પાર્ટીનો મુખ્યમંત્રી પદનો ચહેરો ઈશુદાન ગઢવી પણ આજ બેઠક પર મેદાને ઉતર્યા છે જો ખંભાળિયા બેઠકમાં સથવારા સમાજ નારાજ થાય તો આ બેઠક પર ભાજપના પરિણામ પર અસર પડે સાથે સાથે જામનગર ગ્રામ્ય બેઠકમાં પણ સથવારા સમાજની નારાજગી ઊડીને આંખે વળગે તેવી હતી તેથી જ આ બંને સીટની સાથે સથવારા સમાજને પોતાના તરફ અંગે કરવા માટે ભાજપે આ દાવ ખેલીને કોંગ્રેસ અને આપનું ગણિત બગાડી નાખ્યું છે
ખંભાળિયા બેઠક પર ભાજપ સથવારા ઉમેદવારને ટિકિટ આપી હોત તો વધુ ફાયદો થાત !
રાજકીય સુત્રોનું માનવું છે કે સથવારા સમાજ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કિંગ મેકરની ભૂમિકામાં છે જો ખંભાળિયા સીટ પરથી ભાજપે સથવારા ઉમેદવારને મેદાને ઉતાર્યા હોત તો તેની સીધી જ અસર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ બેઠકો પર પડત અને ભાજપને આ જીત વધુ આસાન થઈ જાય જો કે હવે વઢવાણ થી સથવારા સમાજને ભાજપ એ મેદાને ઉતાર્યો છે ત્યારે તેનો કેટલો ફાયદો મળે છે તે તો આગામી પરિણામ જ બતાવશે.