Gujarat Election 2022: સુરતમા પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયું, સમાજના યુવાનને જીતાડવા હાકલ કરી

ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) હવે ત્રિપાઠીયો જંગ દરેક બેઠક પર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની કતારગામની બેઠક ઉપર રસાકસી સૌથી વધુ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બેઠક ઉપર ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વીનુ મોરડીયા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

Gujarat Election 2022: સુરતમા પ્રજાપતિ સમાજનું સંમેલન યોજાયું, સમાજના યુવાનને જીતાડવા હાકલ કરી
સુરતમાં પ્રજાપતિ સમાજના મત કેટલા અસરકારી ?
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Nov 26, 2022 | 5:35 PM

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: સુરત વિધાનસભા બેઠક ઉપર હવે કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે આ મતદાન વિસ્તારમાં પ્રજાપતિ સમાજના મત નિર્ણાયક છે, ત્યારે પ્રજાપતિ સમાજ એ ગઈકાલે એક સંમેલન કરી 10,000 કરતાં વધુ લોકોને એકત્ર કરી પોતાના સમાજના યુવાન કે જે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. તેને જીતાડવા માટેની હાકલ કરી છે જેને લઈને આ બેઠક ઉપર હવે ભાજપ આપ પાર્ટી અને કોંગ્રેસનો ત્રિપાખીયો  જેમ જોવા મળી રહ્યો છે. અત્યારે સુરતના વરાછા બેઠક અને કામરેજ બેઠક ઉપર પણ કટોકટી જોવા મળી રહી છે જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવતો રહ્યો છે તેમ તેમ રાજકારણ સુરતની અંદર ગરમાઇ રહ્યું છે અને ગુજરાતની અંદર સૌ લોકોની નજર સુરતની કેટલીક બેઠક ઉપર નજર મંડાઇ રહી છે.

કોંગ્રેસે મધ્યમ વર્ગના પરિવારના યુવક કલ્પેશ વરિયાની પસંદગી કરી હતી

ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં હવે ત્રિપાઠીયો જંગ દરેક બેઠક પર જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની કતારગામની બેઠક ઉપર રસાકસી સૌથી વધુ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ બેઠક ઉપર ગુજરાત રાજ્યના શહેરી વિકાસ મંત્રી વીનુ મોરડીયા ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેવામાં તેમની સામે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રદેશ પ્રમુખ એવા ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ વિસ્તારમાં પાટીદાર પછી નિર્ણાયક મત પ્રજાપતિ સમાજના છે. પ્રજાપતિ સમાજ દ્વારા તેમના સમાજના જ યુવકને ટિકિટ આપવામાં આવે તે માટે કોંગ્રેસ અને ભાજપ બંનેને રજુઆત કરવામાં આવી હતી. જે પછી કોંગ્રેસે મધ્યમ પરિવારના યુવક કલ્પેશ વરિયાની પસંદગી કરી હતી.

સુરતના પ્રજાપતિ સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવી

ગુજરાતમાં 55000 જેટલા પ્રજાપતિ સમાજના લોકો રહે છે. ત્યારે પ્રજાપતિ સમાજ દ્વારા સુરતના કતારગામ વિસ્તારમાં એક સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં તેમના સમાજના ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પરથી પ્રજાપતિ સમાજ કઇ તરફ છે તે સ્પષ્ટ જાણવા મળે છે. સુરતના પ્રજાપતિ સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે જેને લઈને સમાજે એક થઈ સમાજના યુવકને જીતાડવા માટેની હાકલ કરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

કોંગ્રેસે પ્રજાપતિ સમાજના યુવકને આ બેઠક પર ઊભો રાખ્યો

બીજી બાજુ પાટીદાર સમાજમાંથી વિનુ મોરડીયા સાથે ગોપાલ ઇટાલીયા આવતા હોવાને લઈને આ બંનેના મત મુજબ વિભાજન થાય અને પ્રજાપતિ સમાજ પોતાના સમાજના યુવકને જો મતદાન કરે તો ચોક્કસપણે કહી શકાય કે કતારગામ બેઠક ઉપર પરિણામ કંઈક અલગ જ જોવા મળી શકે તેમ છે. ભૂતકાળમાં પણ આ બેઠકને લઈને પ્રજાપતિ સમાજે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પાટીદાર અને પ્રજાપતિ સમાજમાંથી પાટીદાર સમાજના યુવકની પસંદગી કરી છે. જ્યારે કોંગ્રેસે પ્રજાપતિ સમાજના યુવકને આ બેઠક પર ઊભો રાખ્યો છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">