
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યુ છે. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઇ જશે. પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. આ વખતે મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. આ સાથે જ અન્ય રાજકીય પક્ષ અને ચૂંટણી પંચે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે મતદાન કરવા લોકોને અપીલ કરી છે. PM મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાન કરવા વિનંતી કરી છે. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારને PM મોદીએ મતદાન કરવાનું આહવાન કર્યુ છે. PM મોદીએ ટ્વિટમાં લખ્યુ છે કે યુવાનો વિક્રમ જનક અને મોટી સંખ્યામાં મતદાન કરે.
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. હું તમામ મતદાતાઓને, ખાસ કરીને પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર યુવાનોને, વિક્રમજનક સંખ્યામાં મતદાન કરવા માટે આહ્વાન કરું છું.
— Narendra Modi (@narendramodi) December 1, 2022
ગૃહમંત્રી અમિત શાહે પણ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યુ છે કે, વિકાસ યાત્રાને યથાવત્ રાખવા મોટી સંખ્યામાં મતદાન કરો
છેલ્લા બે દાયકામાં ગુજરાત વિકાસ અને શાંતિનો પર્યાય બન્યું, જેનો દરેક ભારતીયને ગર્વ છે. પરંતુ ગુજરાતની જનતાએ ચૂંટેલી મજબૂત સરકારને કારણે આ શક્ય બન્યું છે.
પ્રથમ તબક્કાના મતદારોને અપીલ કરું છું કે વિકાસની આ યાત્રા ચાલુ રાખવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ અને મોટી સંખ્યા સાથે મતદાન કરીએ.
— Amit Shah (@AmitShah) December 1, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ આ સંદર્ભે મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી શુભકામના પાઠવી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 1, 2022
AAPના વડા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતની જનતાને મતદાન કરવા માટે અપીલ કરી છે.
ગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણમાં આજે 89 સીટો પર મતદાન થશે. ગુજરાતમાં આજે જે કોઈ વિધાનસભા ક્ષેત્રમાં વોટિંગ છે ત્યાંના મતદાતાઓને મારી અપીલ – “તમારી પાસે સુવર્ણ તક આવી છે, ગુજરાતના અને તમારા બાળકોના સારા ભવિષ્ય માટે વૉટ જરૂર આપો, આ વખતે કંઈક ગજબ કરીને આવો.”
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 1, 2022
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતે અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એવું મતદાન કરીએ..
પરિવર્તનના સારથી બનો, જનતાની સરકાર લાવો #VoteForCongress #GujaratWithCongress#કોંગ્રેસ_આવે_છે_125_લાવે_છે pic.twitter.com/CXYeNqIRGj
— Jagdish Thakor (@jagdishthakormp) December 1, 2022
તો ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પણ મતદાનનું મહત્વ સમજાવી મતની શક્તિનો ઉપયોગ કરવા વિનંતી કરી છે. પી. ભારતીએ જણાવ્યું કે, લોકશાહી ના આ પવિત્ર પર્વ માં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે ? તેમ માનવું જરા પણ વાજબી નથી. એક મત ની કિંમત પાણીના એવા ટીપાં જેટલી છે જે સમુદ્ર બનાવે છે. જો પાણીનું એક ટીંપુ વિચારે કે હું ના હોવ તો સમુદ્ર ને શું ફર્ક પડે અને આ રીતે બધાં જ પાણીનાં ટીપાં વિચારે તો સમુદ્ર જ ના રચાય. એટલે મત તો જરૂર આપવાનો.
Published On - 8:34 am, Thu, 1 December 22