Gujarat Election 2022: દહેગામની સભામાં PM મોદીએ કહ્યુ, રાજ્ય શહેરી વિકાસની હરણફાળ ભરશે, ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી બનશે

Gujarat Election: વડાપ્રધાને આજે પાલનપુર અને મોડાસામાં સભા સંબોધ્યા બાદ દહેગામમાં વિશાળ જનસભા સંબોધી. દહેગામની સભામાં PM મોદીએ સરકારે કરેલા વિકાસકાર્યોને મતદારો સમક્ષ મુક્યા. તેમણે દાવો કર્યો કે હાલમાં જે ગતીએ ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી હશે.

Gujarat Election 2022:  દહેગામની સભામાં PM મોદીએ કહ્યુ, રાજ્ય શહેરી વિકાસની હરણફાળ ભરશે, ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી બનશે
દહેગામમાં PM મોદીએ સંબોધી સભા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2022 | 5:29 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : વિધાનસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન મોદીએ પોતે જ ગુજરાતમાં પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યુ છે. ત્યારે વડાપ્રધાને આજે પાલનપુર અને મોડાસામાં સભા સંબોધ્યા બાદ દહેગામમાં વિશાળ જનસભા સંબોધી. દહેગામની સભામાં PM મોદીએ સરકારે કરેલા વિકાસકાર્યોને મતદારો સમક્ષ મુક્યા. તેમણે દાવો કર્યો કે હાલમાં જે ગતીએ ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે તેનાથી સ્પષ્ટ લાગી રહ્યુ છે કે ગાંધીનગર અને દહેગામ ટ્વીન સીટી બનશે. તેમજ  ગાંધીનગર અને કલોલ પણ ટ્વીન સીટી બનશે.  વડાપ્રધાને જણાવ્યુ કે ગુજરાતના ગામડાઓમાં શહેરો જેવી સુવિધા હશે. અર્થવ્યવસ્થાની દ્રષ્ટ્રીએ આપણે બ્રિટનને પણ પાછળ છોડી દીધુ છે.

20 વર્ષમાં ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ: PM મોદી

દહેગામમાં વડાપ્રધાને સભામાં જણાવ્યુ કે, ગુજરાતમાં અમે જે 20 વર્ષમાં કર્યુ છે. તેના કારણે ગુજરાતમાં પાણી, વીજળી, રસ્તા એ વિષયો ગુજરાતે જાણે આત્મસાત કરી લીધા છે. ગુજરાત જાણે સંકટોમાંથી બહાર નીકળી ગયુ છે. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં મુળભૂત સુવિધાઓના વિકાસ તરફ અમે ધ્યાન આપ્યુ અને દેશમાં એક અગ્રણી  રાજ્ય  તરીકે ઉભર્યુ

આપણે અર્થ વ્યવસ્થામાં પ્રથમ ત્રણ સ્થાનમાં આવતા વાર નહીં લાગે: PM મોદી

2014માં આપણી અર્થવ્યવસ્થા દસમાં નંબર પર હતી. જો કે આજે આપણી અર્થવ્યવસ્થા પાંચમા નંબરે છે. 250 વર્ષ સુધી જેણે આપણા ઉપર રાજ કર્યુ હતુ, પહેલા પાંચ નંબરમાં એ હતા. જો કે હવે તેમને પાછળ પાડીને આપણે પાંચમાં નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેની પણ ખુશી છે. હવે આખી દુનિયા કહે છે કે ભારતને પ્રથમ ત્રણ સ્થાનમાં અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પહોંચતા વાર નહીં લાગે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધાવાળા બનશે: PM મોદી

20-25 વર્ષ પહેલા પંચાયતોનું બજેટ આખા ગુજરાતનું બજેટ 100 કરોડ રુપિયા હતુ. આજે તે બજેટ સાડા ત્રણ હજાર કરોડ રુપિયા છે. એમાં પણ કેન્દ્ર સરકાર મોકલે એ રકમ જુદી છે.ગુજરાતના ગામડાઓમાં પણ શહેર જેવી સુવિધા બને તે દિશામાં કામ આગળ વધી રહ્યુ છે.

ભાજપે શિક્ષણને આધુનિક, વૈજ્ઞાનિક બનાવવાની દિશામાં કામ કર્યુ-PM મોદી

25 વર્ષ પહેલા શિક્ષણનું બજેટ દોઢ કરોડ રુપિયા હતુ.આજે તે વધીને 33 હજાર કરોડ રુપિયા છે. જે ગુજરાતના શિક્ષણનું બજેટ છે એટલુ તો ઘણા આખા રાજ્યોનું બજેટ પણ નથી. ભાજપે શિક્ષણને આધુનિક બનાવવાની, શિક્ષણને વૈજ્ઞાનિક બનાવવાની દિશામાં કામ કર્યુ છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">